પાલિતાણામાં સગીરાએ બળાત્કારીની ધમકીથી ડરી આપઘાતનો પ્રયાસ કર્યો

PC: googleusercontent.com

દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ ચિંતામાં છે. બીજી તરફ રાજ્યની પોલીસ પણ લોકોને સુરક્ષિત રાખવા માટે ઘરની બહાર નહીં નીકળવાની સૂચના આપી રહી છે અને પોલીસ લોકો ઘરની બહાર કામ વગર નહીં નીકળે તેનું ધ્યાન રાખી રહી છે. તેવામાં રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ પણ સામે આવી છે. સુરત બાદ હવે ભાવનગરના પાલિતાણામાં બળાત્કારની ઘટના સામે આવી છે. નરાધમના ત્રાસના કારણે પીડિતાએ પાણીની ટાંકીમાં પડતુ મુકતા તેને હાલ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. સમગ્ર મામલે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરીને નરાધમને પકડવાની તજવીજ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર ભાવનગરના પાલિતાણા તાલુકામાં જયરાજસિંહ નામના એક ઈસમે એક સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું ત્યારબાદ જયરાજસિંહ અવારનવાર સગીરાને પોતાની સાથે સંબંધ રાખવા માટે મજબૂર કરતો હતો. જો સગીરા સંબંધ રાખવાની ના પાડે તો તે સગીરાના પરિવારજનો મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી સગીરા જયરાજસિંહની વારંવારની ધમકીઓથી ડરી ગઈ હતી. જેથી તેને પાણીના ટાંકામાં પડતુ મૂકીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ સગીરાના પરિવારજનોને થતા તેને તાત્કાલિક પાલિતાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સગીરાને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને પગલે સગીરાના ભાઈએ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં જયરાજસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. પાલીતાણા પોલીસે સગીરાના ભાઈની ફરિયાદના આધારે જયરાજસિંહની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન વચ્ચે સુરતમાં પણ એક નરાધમે ચાર વર્ષની બાળકીને ઉઠાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાને પગલે સુરત પોલીસે CCTVના આધારે નરાધમની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp