હિંમતનગરમાં મગફળી ખરીદીમાં વિલંબ થતા ખેડૂતોનો હોબાળો

રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. આવી જ ઘટના હિંમતનગર માર્કેટ યાર્ડમાં બની હતી જ્યાં મગફળી ખરીદીમાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

હિંમતનગર માર્કેટ યાર્ડમાં પણ મગફળી ખરીદી લેટ ચાલુ થતા અને મંથર ગતિએ ચાલતી ખરીદીનો રોષ ઠાલવતા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો અને સાથે જ માર્કેટ યાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરીને વિરોધ દર્શવ્યો હતો. ખેડૂતોને મેસેજ કરી વેચાણ અર્થે બોલાવવામાં આવે છે, પરંતુ ધીમી ગતિના કામકાજથી બોલાવવામાં આવેલા તમામ ખેડૂતોની મગફળી ખરીદી થતી નથી. એક તરફ ખેડૂતોને નવીન સીઝનની વાવણીનો સમય છે, તો બીજી તરફ માર્કેટમાં મગફળી વેચાણ માટે બે -બે દિવસ લાઈનમાં ઊભા રહેવાના કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવીને હોબાળો મચાવ્યો હતો.

હિંમતનગરના માર્કેટ યાર્ડમાં મગફળી વેચાણ માટે તંત્ર દ્વારા રોજે રોજ 90 ખેડૂતોને એસએમએસ કરીને બોલાવવામાં આવે છે. પરંતુ મંગળવારે બોલાવેલા ખેડૂતોની ખરીદી અધૂરી રહી હતી. તેઓને બુધવારે ખરીદી કરવાની હતી અને સાથે બોલાવેલા 90 ખેડૂતોની પણ ખરીદી કરવાની હતી, પરંતુ ખરીદ કેન્દ્રના અધિકારીઓ લેટ આવવાના કારણે ખરીદી લેટ ચાલુ થઈ હતી, જેના કારણે ખેડૂતોએ હંગામો મચાવી માર્કેટ યાર્ડનો મુખ્ય દરવાજો બંધ કર્યો હતો. હોબાળો થવાની જાણ તંત્રને થતા અધિકારીઓ હાજર થયા હતા અને સાથે જ પોલીસ પણ દોડી આવી હતી. અધિકારીઓ અને પોલીસની સમજાવટ બાદ ખરીદી ચાલુ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp