સરકારની જાહેરાત મુજબ શું ખેડૂતોની આવક બમણી થઇ ગઇ? જાણો શું છે હકીકત

PC: deccanherald.com

ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી તેને 5 વર્ષ થયા છે. સરકારનો દાવો પોકળ લાગે છે, કારણ કે તેણે છેલ્લા 5માંથી 3 વર્ષમાં કૃષિ યોજનાઓ માટે ફાળવેલા નાણાં પૂરા વપરાયા પણ નથી.

28 ફેબ્રુઆરી, 2016ના રોજ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, 2022-23 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાશે. પણ ખેડૂતની આવક કેટલી છે તે જાહેરાત કરી ન હતી. જેના કારણે ખેડૂતોની આવક બમણી થઈ છે કે કેમ તે જાણવું અશક્ય બનાવે છે.

ખેતીની 17 યોજનાઓ માટે 2022-23માં 1 લાખ 5 હજાર કરોડ નાણાં ફાળવેલા છે જેમાં 2019-20 કરતાં ઓછું બજેટ ફાળવેલું હતું.  2019-20માં  વાસ્તવિક ખર્ચ ફાળવેલ રકમ કરતાં 29 ટકા ઓછો હતો. 2020-21માં 18 ટકા રકમ વાપરી ન હતી. 2017-18 માટેનો વાસ્તવિક ખર્ચ પણ બજેટ કરતાં 4 ટકા ઓછો હતો.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના સિચ્યુએશન એસેસમેન્ટ સર્વે અનુસાર, ડિસેમ્બર-માર્ચ 2018-19માં 31.6 મિલિયન પરિવારોને કૃષિ હપ્તા મળ્યા હતા, જે 2018-19માં દેશના 93.09 મિલિયન કૃષિ પરિવારોના માત્ર 33 ટકા છે. 107.6 મિલિયન જમીનધારકો છે.

ભારતમાં  કૃષિ પરિવારની સરેરાશવાર્ષિક આવક આશરે રૂ. 1,20,000 છે. જેમાં રૂ. 6,000નો વધારો થયો છે. તેમાં ફુગાવો ગણવામાં આવે તો ખેડૂતોની આવક વધવાના બદલે ઘટી છે.

પાક વીમા યોજના 46 ટકા કૃષિ પરિવારો (43 મિલિયન) આવરી લે છે.NSO અનુસાર, 2012-13માં 57.8 ટકા ઘટીને 2018-19માં લગભગ 54 ટકા ગ્રામીણ પરિવારો કૃષિ સાથે સંકળાયેલા હતા.

કૃષિ પરિવારની માસિક આવક 2012-13માં 6,426 રૂપિયાથી વધીને 2018-19માં 10,218 રૂપિયા થઈ ગઈ છે. જેમાં ખેતીમાંથી થતી આવકનો હિસ્સો ઘટ્યો છે.

છ વર્ષમાં ખેતીનો ખર્ચ 2012-13માં 2,192 રૂપિયા પ્રતિ માસથી વધીને 2018-19માં 2,959 રૂપિયા થઈ ગયો છે. દેશના અડધાથી વધુ પરિવારો દેવું ધરાવે છે. સરેરાશ લોનની રકમ પણ 2012-13માં 47,000 રૂપિયાથી વધીને 2018-19માં 74,131 રૂપિયા થઈ ગઈ છે.

જમીનનું વિભાજન એ બીજો પડકાર છે. 2012-13 અને 2018-19 વચ્ચે 1 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા સીમાંત કૃષિ પરિવારોનો હિસ્સો 69.44 ટકાથી વધીને 70.44 ટકા થયો છે.

1.01 હેક્ટરથી 10 હેક્ટરના ખેડૂત માલિકોનો હિસ્સો વધીને 30.52 ટકા થયો હતો. તે ઘટીને 29.2% પર આવી ગયો છે. સમૃદ્ધ ખેડૂતોનો હિસ્સો 0.4 ટકા પર સ્થિર રહ્યો છે. ખેડૂતને સબસિડી સહાયમાં વધારો અને ઉત્પાદન ખર્ચમાંથી લઘુત્તમ ટેકાના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે.

ખેડૂતોના જીવનમાં સુધારો થતો નથી. છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોના વિરોધની સંખ્યા અને વિરોધની તીવ્રતા વધી છે. દેશમાં 165 વિરોધ પાછળ વ્યાપક કારણો પાકનું નુકસાન, વાજબી ભાવની માંગ અને વિકાસ પ્રોજેક્ટ્સ માટે ખેતીની જમીનનું બળજબરીથી સંપાદન હતું. 2020 માં, 50 ટકાથી વધુ વિરોધ કેન્દ્ર અને રાજ્ય સરકારોની આર્થિક અને કૃષિ નીતિઓ વિરુદ્ધ હતા.

વિરોધનું બીજું સૌથી સામાન્ય કારણ ખરીદી અને કિંમત હતું (23 ટકા), જ્યારે જમીન સંપાદન ત્રીજું (10 ટકા) હતું. વીમો, લોન માફી અને નબળી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય કારણો હતા.

ખેડૂતોમાં આત્મહત્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. 2020 માં, 5,579 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. 2019માં 5,957 ખેડૂતોએ આત્મ હત્યા કરી હતી. જે 2018માં 5,763 આત્મહત્યા કરી હતી.  2017માં 5,955 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. 2016માં 6,270 ખેડૂતોઆ આત્મહત્યા કરી હતી. 8 વર્ષમાં 45 હજાર ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. સરકારો આંકડા દબાવે છે તેનો અંદાજ મૂકવામાં આવે તો 1 લાખ ખેડૂતોએ ફાની દુનિયા 8 વર્ષમાં છોડી છે.

આનો ઉકેલ કૃષિ ક્ષેત્રની મેક્રો-ઈકોનોમીમાં રહેલો છે. કૃષિકારો માટે જીવંત વેતન ફરજિયાત બનાવાનો કાયદો લાવવા તો એક માત્ર ઉપાય છે. જીવંત વેતનની ખાતરી કરવાથી મદદ મળશે. તેનાથી કુપોષણની સમસ્યા પણ ઓછી થશે.

લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ના નિયમો બદલીને ખેડૂતોનો નફો ઉમેરવાની જરૂર છે. લઘુત્તમ ભાવો નક્કી કરવા અને ખેડૂતોની સમસ્યા માટે કે માહિતી આપવા માટે વાવેતર અને નુકસાન માટે મોબાઈલ ફોનની એક એપ્લિકેશન દરેક રાજ્ય સરકારો બનાવે તે ઉપાય છે. જો ઉત્પાદન વધશે તો જ ખેડૂત અને દેશના નાગરિકો સુખી થશે. ગરીબો તેમની હાલની આવકથી પૂરતું અનાજ ખરીદી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp