જેતપુરમાં 1500 એકર ખેતરોમાં પ્રદૂષિત પાણી તપાસ કર્યા વગર અપાયું

PC: cleanmalaysia.com

વર્ષ 2015ના કેગના અહેવાલમાં પ્રદૂષણ અંગે જે વિગતો રજૂ થઈ છે તે ચોંકાવનારી છે. જેતપુર ડાઇંગ અને પ્રિન્‍ટિંગ એસોસિએશનના સહિયારા જળ શુદ્ધિકરણ પ્‍લાન્‍ટના પાણી 1,500 એકર કૃષિ જમીનની સિંચાઈ માટે વાપરવામાં આવે છે. આમ છતાં શુદ્ધિકરણ પ્‍લાન્‍ટે માન્‍ય યુનિવર્સિટી દ્વારા સિંચાઈની જમીન પર નકામા પાણીનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો ન હતો. જળ શુદ્ધિકરણ પ્‍લાન્‍ટ દ્વારા દૂષિત પાણીના નિકાલ બાબતે નિકાલના ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી. જોખમી કચરાનો સમયસર નિકાલ ન થયો જેના પરિણામે પાણી ઠાલવવામાં આવતું હતું તે કુદરતી જળાશયોમાં અને ભૂતળના પાણીમાં પ્રદૂષણ ફેલાયું છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલ મુજબ સાબરમતી, મહી, નર્મદા, દમણગંગા અને શેઢી નદીઓના પાણીની ગુણવત્તા કથળી જતાં ભારે પ્રદૂષિત થઈ છે. તેમ છતાં રાજય સરકાર કે બોર્ડ પ્રદૂષણ નિયંત્રણ માટે ગંભીર નથી. ક્લાઈમેટ ચેન્જના નામે મોટી ખોટી વાતો કરનાર ભાજપ સરકાર વિકાસના નામે માનવજીવન માટે જોખમી એવા ભારે માત્રામાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યાં છે. તેઓ માનવ જિંદગીના ભોગે કામ કરી રહ્યાં છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વન પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા લોકસભામાં આપેલા જવાબ મુજબ ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિત છે તેમાં સાબરમતી, નર્મદા, મહી અને તાપી નદીનો પણ સમાવેશ થાય છે. પ્રદૂષિત નદીઓના દેશમાં ગુજરાત ચોથા ક્રમાંકે છે. ભારત સરકાર દ્વારા સાબરમતી અને સોનગઢ તાલુકાની મીંઢોળા નદીમાં પ્રદૂષણના ઘટાડા માટે ચાર વર્ષમાં 201 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપવામાં આવી છે. નદીના પ્રદૂષિત પાણી માટે સૌથી મોટો પડકાર ઔદ્યોગિક-કેમિકલ કચરો અને ગટરના પાણી પણ મુખ્‍ય છે. ગુજરાતમાં નદીઓમાં પ્રદૂષિત સ્‍થિતિ ખરાબથી અતિ ખરાબ તરફ આગળ વધી રહી છે.

સાબરમતી, મહી, નર્મદા, દમણગંગા અને શેઢી સહિતની નદીઓને પ્રદૂષિત થતી અટકાવવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારી રીતરસમોથી માનવ જિંદગી સાથે ચેડાં કરી રહ્યું છે એટલે કુદરતી નદીઓનું પાણી પ્રદૂષિત થાય છે પરિણામે પીવાલાયક પણ રહેતું નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલ મુજબ સાબરમતી, મહી, નર્મદા, દમણગંગા અને શેઢી નદીઓના પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે તેવું સ્‍પષ્‍ટ થયા છતાં રાજ્ય સરકાર કે બોર્ડ પ્રદૂષણ નિયંત્રણ માટે ગંભીર નથી.

કેગના વર્ષ 2017ના અહેવાલ મુજબ આઠ મહાનગરપાલિકાઓ પૈકી ત્રણ પાસે ઘન કચરા પર પ્રક્રિયા કરવાની કોઈ સુવિધા નથી. ચાર મહાનગરપાલિકાઓ પાસે ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કોઈ સુવિધા નથી. 159 નગરપાલિકાઓ પૈકી 155 નગરપાલિકાઓમાં ઘન કચરાનું પૃથ્‍થકરણ કરવામાં આવતું નથી.

159 નગરપાલિકાઓ પૈકી 96 નગરપાલિકાઓમાં ગટર વ્‍યવસ્‍થાતંત્રની સુવિધા નથી. કોઈ પણ નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણની સુવિધા નથી. ગુજરાતમાં પાણી પ્રદૂષણ નિયંત્રણ ધારો-1974 હવા પ્રદૂષણ નિયંત્રણ ધારો-1981 અને પર્યાવરણ સંરક્ષણ ધારા-1986નું મહંદઅંશે અમલીકરણ થતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp