ગુજરાતના જીડીપીમાં ખેતીનો ફાળો ઘટી રહ્યો છે, આ છે કારણ

PC: cfo-india.in

 ગુજરાતમાં એક ચોંકાવનારૂં સત્ય બહાર આવ્યું છે. આ સત્ય એ છે કે ખેતીપ્રધાન ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતીવાડીનો જીડીપીમાં ફાળો ઘટતો જાય છે. સરકારી દસ્તાવેજમાં જણાવાયું છે કે રાજ્યમાં ખેતીથી આજીવિકા મેળવનારી વસતી 59 ટકા છે પરંતુ ખેતીનો રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનની આવકમાં ફાળો ઘટતો જાય છે જે અતિ ગંભીર ઘટના છે.

રાજ્યમાં ખેતી પર નભતા લોકોની સંખ્યા વધારે છે જેમાં જમીન ધારકો 48 લાખ જેટલા છે અને જમીન વિહોણાં માત્ર ખેતમજૂરોની સંખ્યા 68 લાખ જેટલી થઇ છે. ગુજરાતમાં આ પ્રમાણ વધારે ચોંકાવનારૂં એટલા માટે છે કે ખેડૂતો મટી રહ્યાં છે અને ખેતમજૂરો વધી રહ્યાં છે.

ગુજરાત રાજ્યમાં વિવિધ વ્યવસાયમાં કામ કરનારા પૈકી 59 ટકા કામદારો પ્રાથમિક ક્ષેત્રમાં છે. જ્યારે દ્વિતીય ક્ષેત્ર એટલે કે કારખાના અને મેન્યુફેક્ચરીંગ વીજળીગેસપાણી સપ્લાય અને બાંધકામ વગેરે ઉત્પાદન કામમાં 16 ટકા કામદારો કામ કરે છે જ્યારે ત્રીજા ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્રમાં રોકાયેલાઓની સંખ્યા 25 ટકા જેટલી છે.

ગુજરાતમાં જો ગરીબી દૂર કરવી હોય તો પ્રાથમિક ક્ષેત્રમાં કામ કરતા લોકોની સંખ્યા ઘટાડવાની આવશ્યકતા છે તેવું નિષ્ણાંતો માને છે. રાજ્યમાં પ્રાથમિક ક્ષેત્રના 59 ટકા લોકોનો જીડીપીમાં ફાળો 23 ટકા છે જ્યારે દ્વિતીય ક્ષેત્રના 16 ટકા કામદારોનો 45 ટકા અને ત્રીજા ક્ષેત્રના 25 ટકા કામદારોનો ફાળો 36 ટકા જોવા મળે છે. જીડીપીમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો 23.20 ટકા હતો તે ઘટીને 19 ટકા થયો છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp