ડિરેક્ટર-એક્ટર નીરજ વોરાનું નિધન

PC: India.com

અભિનેતા અને ફિલ્મમેકર નીરજ વોરાનું ગુરુવારના રોજ ક્રિટિ કેર હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમને પહેલા ફિરોઝ નડિયાદવાલાના ઘરે લઈ જવામાં આવશે, ત્યાર બાદ 3 વાગે તેમના અંતિમ સંસ્કાર થશે. બોલિવુડ અભિનેતા પરેશ રાવલે ટ્વીટ કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016 ઓક્ટોબરમાં તેમને હાર્ટ ઍટેક અને બ્રેન સ્ટ્રોક આવ્યું હતું. ત્યાર બાદ તેમને દિલ્હીની AIIMSમાં એડમિટ કરવામાં આવ્યા હતા, ત્યાં તેઓ છેલ્લા 10 મહિનાથી કોમામાં હતાં. નીરજ વોરાએ હેરાફેરી, ફીર હેરાફેરી, મન, ખેલાડી 420 અને બોલ બચ્ચન જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.