કમલમ ખાતે NSUI જિલ્લા પ્રમુખ સહિત 17 ભાજપમાં જોડાયા
ધ્રુવરાજસિંહ ચુડાસમા, કટોસણ ઠાકોર સાહેબ ધર્મપાલસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ મહામંત્રી કુષ્ણરાજસિંહ ઝાલા તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે NSUI જીલ્લા પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા, કટોસણ ઠાકોર સાહેબ ધર્મપાલસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ મહામંત્રી કુષ્ણરાજસિંહ ઝાલા તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ,પ્રદેશ મહામંત્રી રજની પટેલના હસ્તે ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
ભાજપમાં જોડાયેલા હોદ્દેદારોનું લીસ્ટ
- ધ્રુવરાજસિંહ ચુડાસમા NSUI જિલ્લા પ્રમુખ
- ધર્મપાલસિંહ ઝાલા.
- કૃષ્ણરાજસિંહ ઝાલા. - મહામંત્રી સુરેન્દ્રનગર જીલ્લા
- વિજયરાજસિંહ જાડેજા - મંત્રી સુરેન્દ્રનગર જીલ્લા
- મયુરસિંહ ચુડાસમા - મહામંત્રી સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ
- સુભમ જાની - ચોટીલા NSUI પ્રભારી
- વિશ્વરાજસિંહ ઝાલા - મુળી NSUI પ્રભારી
- હર્ષિલ આદ્રોજા - સાયલા NSUI પ્રભારી
- યોગીરાજસિંહ રાણા - થાનગઢ NSUI પ્રભારી
- વિરમ ભરવાડ - લખતર NSUI પ્રભારી
- કુમારપાલસિંહ જાડેજા - ચુડા NSUI પ્રભારી
- મિત શાહ - NSUI c.u.shah univercity પ્રભારી
- પર્થરાજસિંહ ઝાલા - લીંબડી NSUI પ્રભારી
- બકુલ ઉઘરેજીયા - ધ્રાંગધ્રા NSUI પ્રભારી
- લકિરાજસિંહ પરમાર - NSUI આઈ.ટી શેલ
- પ્રતિક બારોટ - NSUI આઈ.ટી શેલ
- કરણસિંહ રાણા - NSUI આઈ.ટી શેલ
- NSUI કાર્યકરોએ કહ્યું, કોંગ્રેસમાં ચાલતા જુથવાદ, પરીવારવાદ, દિશાહીન નેતૃત્વથી હતાશ હતા
આજે ભાજપ કમલમ ખાતે 17 NSUI ના કાર્યકરો વિધીવત રીતે ભાજપમાં જોડાયા છે ત્યારે NSUI કાર્યકરોએ કહ્યું, કોંગ્રેસમાં ચાલતા જુથવાદ, પરીવારવાદ, દિશાહીન નેતૃત્વથી હતાશ હતા. તેમણે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ચાલતા જુથવાદ, પરીવારવાદ, દિશાહીન નેતૃત્વથી હતાશ થઇ વારંવાર રજૂઆત કરવા છતા આ યુવાઓના પ્રશ્નોને વાંચા ના મળતા હતાશ અને નિરાશ થયેલા આ યુવાઓ રાષ્ટ્ર સર્વોપરીની ભાવના ધરાવતા દેશના એક માત્ર પક્ષ ભાજપાની વિકાસલક્ષી રાજનીતિ સાથે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહના રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના ગુજરાત પ્રદેશ ના નેતૃત્વથી પ્રેરાઈ આજ રોજ પ્રદેશ નેતૃત્વના હાથે આ સહુ યુવાઓ જોશ અને ઉત્સાહ સાથે કેસરિયો ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ કાર્યક્રમમાં પ્રદેશ સહ પ્રવક્તા ઋત્વિજ પટેલ,પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝુબિન આશરા, પ્રદેશ સોશિયલ મીડિયાના સહ કન્વીનર મનન દાણી,ભાજપના અગ્રણી નેતા જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
એક પછી એક જુદા જુદા ફીલ્ડમાંથી હોદેદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે આગામી સમયમાં પણ ભાજપમાં મોટા કોંગ્રેસના નેતાઓ જોડાય તેવી શક્યતાઓ છે કેમ કે, કેટલાક ધારાસભ્યો હજુ પણ નારાજ છે તેવી માહિતી પણ સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp