પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થતા પતિએ પત્નીને કહ્યું, મેં તને માત્ર શરીરસુખ...

PC: envatousercontent.com

પાલડીમાં એક પરીણિતા સાથે તેનો પતિ દહેજ માટે મારઝૂડ કરતો હતો અને છેલ્લાં થોડાં સમયથી તેના પતિના વર્તનમાં આવેલા ફેરફાર અંગે પૂછપરછ કરતા પતિએ કહ્યું હતું કે, તને માત્ર શરીર સુખ માટે જ રાખી છે. આમ, પતિના દહેજ માટેના ત્રાસ અને મારઝૂડથી કંટાળેવી મહિલાએ આખરે પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ અનુસાર, પાલડીમાં રહેતી એક પરીણિતાના લગ્નના થોડાં વર્ષો દરમિયાન બધું બરાબર ચાલ્યું હતું. પરંતુ, થોડાં વર્ષો બાદ તેના સાસુએ તેને દહેજ બાબતે મેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું અને પરીણિતાનો પતિ પણ તેની માતાની વાતોમાં આવીને પરીણિતા સાથે મારઝૂડ કરતો હતો. દરમિયાન પરીણિતાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ પણ પતિના વર્તનમાં કોઈ ફેર પડ્યો નહતો. આથી, તેણીએ આ વાત પોતાના માતા-પિતાને કરી હતી. ત્યારે તેના માતા-પિતાએ તેને બધું સહન કરી સંસાર બચાવવાની સલાહ આપી હતી.

પરંતુ, ધીમે-ધીમે પતિના વર્તનમાં આવેલો મોટો બદલાવ, દહેજ માટે મેણા-ટોણા, મારઝૂડથી કંટાળેલી પરીણિતાએ એક દિવસ પતિ સાથે આ બાબતે વાત કરતા તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પત્નીને કહ્યું હતું કે, તને મેં માત્ર શરીર સુખ માટે જ રાખી છે. ત્યારબાદ પરીણિતાને જાણવા મળ્યું હતું કે, તેનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે ફોન કરીને તેમજ મેસેજ દ્વારા વાતો કરે છે. આથી, પરીણિતા પોતાના પિયર રહેવા ચાલી આવી હતી અને તેણે પોતાના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં દહેજ અને મારઝૂડનો કેસ કરવા ઉપરાંત, કોર્ટમાં છૂટાછેડા માટેની પણ અરજી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp