ભગવું પ્રતિબિંબ: તોગડીયા બુક બોમ્બ ફોડશે?

PC: timesofindia.indiatimes.com

VHPના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ડો.પ્રવીણ તોગડીયાનું લખાય રહેલું પુસ્તક હવે વધારે આકર્ષક બની રહેશે. અમદવાદાની તેમના એન્કાઉન્ટરની ઘટના બાદ આ પુસ્તક કદાચ બેસ્ટ સેલર પણ બની શકે તેવી કથાનક તેમાં એક જ દિવસમાં બની છે. તેઓ ત્રણ વર્ષથી અંગ્રેજી પુસ્તક ‘સેફ્રોન રિફ્લેક્શન – ફએસીસ એન્ડ માસ્ક‘ લખી રહ્યાં છે.

1985થી દેશમાં શરૂ થયેલી અને આજ સુધી તેમાં કેવા રંગ ઉમેરાતા રહ્યાં છે તે હિન્દુ મુવમેન્ટ વાત તેઓ કહી રહ્યાં છે. હિન્દુત્વનો ચહેરો કોણ હતો અને કોણ મહોરાં રહ્યાં છે તેની સ્ફોટક વિગતો હશે. વિશ્વાસ અને વિશ્વાસ ઘાતની વાતો તેમાં હશે. આ માટે ડો.તોગડીયાએ સેંકડો દસ્તાવેજો એકઠા કર્યા છે. એ દસ્વાવેજો તેમાં હશે. સંજય જોષીની બનાવટી સીડી અને તેની પાછળના મુખોટા પણ હશે.

2002ના ગોધરા અને પોસ્ટ ગોધરાના કોમી તોફાનોમાં ગોધરા પરના 57 હિન્દુઓ અને ત્યાર પછી પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલાં 300 હિન્દુઓની અસલી વિગતો તેઓ જાહેર કરશે. તે મારવાનો અધિકાર કોણે આપ્યો અને હિન્દુઓને મારવાની ચાલ કોની હતી તેની સનસની ખેજ વિગતો હશે. 250 પાનાનું પુસ્તક ગુજરાતી સહિત તમામ સ્થાનિક ભાષામાં એકી સાથે પ્રકાશિત કરાશે. તેઓ નરેન્દ્ર મોદીના 40 વર્ષથી મિત્ર છે. મોદી રાજકારણમાં ગયા અને તોગડીયાને તક હોવા છતાં તે રાજકારણમાં ન ગયા. આ બધી વિગતો તોગડીયાની આત્મકથા જેવી હશે કારણ કે તેઓ આ બધા બનાવોના સાક્ષી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp