3 વાર પ્લાઝ્મા ડોનેટ કરનારા ફૈઝલે CM રાહત ફંડમાં 2.21 લાખ આપ્યા

PC: khabarchhe.com

મુખ્યમંત્રીની સુરત મુલાકાત દરમિયાન સુરતના યુવા પ્લાઝ્મા દાનવીર ફૈઝલ ચુનારાની દિલાવરીના દર્શન થયાં છે. ત્રણ વખત પ્લાઝ્મા ડોનેટ કરનારા સુરતના પ્લાઝ્મા દાનવીર ફૈઝલ ચુનારાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ‘મુખ્યમંત્રી રાહત નિધિ’ માં રૂ.2.21 લાખનું દાન અર્પણ કરી સમાજ અને યુવાધનને પ્રેરણા આપી છે. ફૈઝલે સ્વહસ્તે મુખ્યમંત્રીને ચેક અર્પણ કર્યો ત્યારે સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. મુખ્યમંત્રી પણ તેની સમાજ ભાવના અને ઉમદા અભિગમથી પ્રભાવિત થયાં હતા.

કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલા ફૈઝલ ચુનારાએ સતત ત્રણ વાર પોતાનું પ્લાઝ્મા ડોનેટ કર્યું છે, સાથોસાથ 50 વખત પ્લાઝ્મા ડોનેટ કરવાનો સંકલ્પ પણ કર્યો છે. આ ભગીરથ કાર્ય બદલ ફૈઝલને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્લાઝ્મા દાન માટે ખ્યાતી મેળવનાર આ યુવાને CM રાહત ફંડમાં રૂ.2.21 લાખનું દાન કરીને દાનેશ્વરી ભામાશા સમોવડી ખુમારી બતાવી માનવતાનું એક અનેરું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp