લગ્ન બાદ હવે યોજાશે વિરાટ-અનુષ્કાનું રિસેપ્શન, જુઓ રિસેપ્શન કાર્ડ

PC: ndtv.com

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને બોલિવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લિમીટેડ ફેમિલી મેમ્બર અને મિત્રોની હાજરીમાં તેમણે સાત ફેરા લીધા હતા. બંનેએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લગ્નની જાહેરાત કરી હતી. ટ્વિટર પર તેમણે આજે અમે એકબીજાના પ્યારમાં હંમેશા માટે ખોવાઈ જવાના વાદા કર્યા હતા અને તેમના સફરનો હિસ્સો બનવા બદલ ફેન,મિત્રો અને પરિવારનો આભાર માન્યો હતો.

બંનેના લગ્નના ઘણા ફોટાઓ અને વીડિયોઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. દુનિયાભરમાંથી તેમના ફેન અને બોલિવુડ સેલિબ્રિટી અને ક્રિકેટ જગતના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. લગ્ન બાદ હવે 21મી અને 26મીના રોજ દિલ્હી અને મુંબઈમાં નવ દંપતિનું ભવ્ય રિસેપ્શન યોજાવાનું છે. જેમાં ફિલ્મ, ક્રિકેટ જગતના સિતારાઓ સિવાય અન્ય મહાનુભવો પણ હાજરી આપશે.

વિરાટ-અનુષ્કાનું વર્ષ એકસાથે મનાવશે. લગ્ન બાદ તેઓ મુંબઈમાં તેમના નવા ઘરમાં રહેવા જશે.

21 અને 26ના રોજ યોજાનારા તેમના રિસેપ્શન કાર્ડનો ફોટો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp