હાર્દિક પંડ્યાથી પૂર્વ ક્રિકેટરો નારાજ, જાણો શું છે કારણ

PC: ibtimes.co.in

ટીમ ઈન્ડિયાના મહાન ઓલરાઉન્ડર એવા કપિલદેવ એ કહ્યું કે જો હાર્દિક પંડ્યા પોતાની ગેરજવાબદારી ભરી ભૂલો કરવાનું ચાલુ રાખે છે તો તેની તુલના મારી સાથે નહિ થવી જોઈએ. હાર્દિક પંડ્યા સેન્ચુરીયન ટેસ્ટની બીજી ઇનિંગમાં જે રીતે આઉટ થયો તેનાથી કપિલ દેવ ખૂબ નારાજ છે. પંડ્યાએ બહાર જતા બોલને છેડવાની કોશિશ કરી હતી અને પોતાની વિકેટ વિકટ સમયમાં ફેંકી દીધી હતી.

આ અગાઉ પણ પંડ્યા પ્રથમ ઇનિંગમાં રન આઉટ થયો હતો, જેને કારણે તેની ખૂબ આલોચના કરવામાં આવી હતી. પંડ્યાની એ ભૂલને બાળવેડા સમાન ગણવામાં આવી હતી. કપિલ દેવે પંડ્યાની આલોચના કરતા કહ્યું હતું કે 'જો હાર્દિક પંડ્યા આ રીતે મુર્ખામી કરતો રહેશે તો તે મારી સાથેની તુલનાનો હકદાર નથી.'

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલએ કહ્યું કે કપિલ દેવ અને હાર્દિક પંડ્યાની સરખામણી કરવી યોગ્ય નથી કારણ કે પંડ્યાના ક્રિકેટ કરિયરની હજી તો શરૂઆત થઈ છે. તેમણે કહ્યું કે 'મેં કપિલ દેવ સાથે ઘણું ક્રિકેટ રમ્યો છું. હમણાં પંડ્યાની તેમની સાથે તુલના યોગ્ય નથી. કપિલે શાનદાર પ્રદર્શન કરતા 15 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમ્યું હતું અને પંડ્યાએ તો હજી માત્ર 5 ટેસ્ટ રમી છે અને તેણે લાંબી સફર કાપવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp