પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભમાં આટલા લાખ કરોડનો બિઝનેસ થશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી પવિત્ર મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે અને 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળો ચાલવાનો છે.45 દિવસ સુધીમા લગભગ 40 કરોડ શ્રધ્ધાળુઓ મહાકુંભમાં સ્થાન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ સરકારની ધારણા છે કે એક શ્રધ્ધાળુ જો 5,000 રૂપિયાનો ખર્ચ કરશે તો ઉત્તર પ્રદેશમાં 2 લાખ કરોડ રૂપિયાનો ધંધો થશે અને સરકારની તિજોરી ટેક્સની આવકમાંથી છલકાઇ જશે.
મહાકુંભને કારણે હોટલ ઇન્ડસ્ટ્રીઝને બખ્ખાં થઇ ગયા છે. માત્ર પ્રયાગરાજ જ નહી, પરંતુ નજીકના શહેરોની હોટલો પણ ફુલ થઇ ગઇ છે અને ટ્રાવેલ્સ બિઝનેસને પણ ચાંદી થઇ ગઇ છે.
જો કે જાણકારોનું માનવું છે કે જે રીતે દેશમાં માહોલ છે એ જોતા કદાચ 4 લાખ કરોડની ઉપર પણ બિઝનેસ થઇ જાય તો નવાઇ નહીં લાગશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp