તલાટી કાંડ બાદ, સૌથી મોટું શિક્ષક ભરતી કૌભાંડ, શું છે હાર્દિક કનેક્શન

PC: ndtvimg.com

29 જુલાઈના રોજ ચાર વર્ષ બાદ ટાટ-TAT પરીક્ષામાં 1.47 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. લેવાયેલી TATની પરીક્ષાનું પેપર અગાઉના દિવસ લિક કરીને ઉમેદવારો પાસેથી પાંચથી સાત લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં શિક્ષકો અને બોર્ડના કેટલાક જાણભેદુ તથા રાજ્ય બહારના એક અધિકારીએ મદદ કરી હોવાનું જાણકાર લોકો કહી રહ્યાં છે. અરવિંદ પટેલ નામના એક વ્યક્તિ આમાં સંડોવાયેલો હોવાનો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે. સ્કૂલમાં શિક્ષક બનાવા માટે લેવાતી TATની પરીક્ષાનું પેપર લિક કરીને લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કર્યાં છે. મહેનતુ વિદ્યાર્થીઓના સ્થાને પૈસા આપીને શિક્ષક બની જતા લોકો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પણ આ મુદ્દે ગંભીર નથી. ભાજપ સરકારમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યાં છે. ત્યારે શિક્ષણનું વધુ એક કૌભાંડ બહાર આવતાં રૂપાણી સરકાર સામે મુશ્કેલી ઊભી થઈ છે. અહીં સવાલ એ થાય છે કે એક શિક્ષક દ્વારા કૌભાંડ કરવામાં આવી રહ્યાં છે અને પોલીસ તંત્ર પણ તપાસ કરવા તૈયાર નથી.

નવો વળાંક

અરવિંદ પટેલના અનેક સગા સંબંધીઓ રમત ગમતના અને અપંગતાના ખોટા પ્રમાણપત્રો પર વર્ષોથી સરકારનો પગાર હડપ કરી રહ્યા છે. જેમની સામે પોલીસ કાર્યવાહી થઈ નથી. અરવિંદ જે સ્કૂલમાં નોકરી કરે છે તેની આસપાસના લોકો કહે છે કે, પેપર ફોડવાના, ખોટા રમત ગમતના પ્રમાણપત્રો અને અપંગતાના પ્રમાણપત્રો આપે છે. અનેક લોકો ખોટા પ્રમાણપત્રોને આધારે નોકરી અપાવી છે. જે પહેલા પણ રમત ગમતના અને અપંગતાના ખોટા સર્ટિફિકેટનો કરોડો રૂપિયાનો ધંધો કરી ચૂક્યો છે.

અમદાવાદ નજીદની એક હોટલમાં પેપર અપાયું

TAT પેપર લિક કૌભાંડમાં અરવલ્લી અને ખેડા જિલ્લાના 48 ઉમેદવારોનું લિસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડને સોંપવામાં આવશે. આ ઉમેદવારોએ અરવિંદ પટેલ જેવા ગુનેગાર પાસેથી પાંચથી સાત લાખ રૂપિયામાં પેપર ખરીદ કર્યું હતું અને અમદાવાદ-ગાંધીનગરની ચિલોડા અને કોબા નજીકની એક હોટલમાં રાત્રે પેપર સોલ્વ કર્યું હતું. સવારે અમદાવાદ અને ગાંધીનગર મૂકી આવેલાં. હોટલે CCTV ફૂટેજનો પુરાવો નાશ કર્યો છે. જો કે પોલીસ તપાસમાં તે બહાર આવી શકે તેમ છે. બીજી તરફ 48 ઉમેદવારોના મોબાઇલના લોકેશન પણ ચાર મોબાઇલ કંપનીના કાઢવામાં આવે તો તે તમામ વિદ્યાર્થીઓના નામ મળી શકે તેમ છે.

અધિકારીઓ સામે આશંકા

રાજ્ય પરીક્ષા બોર્ડ કોઈ જ કાર્યવાહી કરવા માંગતું ન હતું પણ હવે તેમની સમક્ષ લેખિતમાં ફરિયાદ આવતાં તપાસ કરવી પડે તેવી જાહેરાત કરી છે. રાજ્ય પરીક્ષા બોર્ડે સમગ્ર કૌભાંડનો તપાસ રિપોર્ટ આવે પછી જ પરિણામ જાહેર કરવું જોઈએ, એવી માંગણી પણ કરવામાં આવી છે. પંચાલ છોકરીએ બબાલ કરી અને કૌભાંડ બહાર આવ્યું. પોલીસ કેસ કરવા તૈયાર છે. પરીક્ષા બોર્ડે તપાસ કરવાની માગણી સંતોષ કુમાર એ ક્લાસ 1નો અધિકારી છે. ફીમેલ હેલ્થ વર્કરની પરિક્ષામાં થયું છે.

તપાસ સોંપાઈ

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વાર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકો માટે ટીચર્સ એપ્ટિટયુડ ટેસ્ટ (ટાટ-માધ્યમિક)ની પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા જ લિક કરી દેવાતાં તેની તપાસ સોંપવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના અશોક પટેલ દ્વારા 8મી જુલાઈએ પેપર લિક કર્યું હતું. આ શિક્ષક સાથે અન્ય બે વ્યક્તિ પણ સંડોવાયેલી છે. કેટલાક શિક્ષકો સંડાવાયેલા છે. તપાસ પૂરી થયા બાદ જો પેપર લિક થયુ છે તેવુ સાબિત થશે તો આગળની કાર્યવાહી કરાશે પરંતુ મારી ફૂલ પ્રુફ સિસ્ટમ પ્રમાણે પેપર લિક થયું જ નથી અને કેટલાક લોકો દ્વારા આ ફરિયાદ ખોટી ઊભી કરાઈ છે. જોકે તેમણે અંજલી હોટલ અંગે કંઈ કહેતાં નથી.

કેવું હતું તલાટી ભરતી કૌભાંડ

રાજ્ય સરકારે 2014મા 1,500 તલાટીની ભરતી કરી હતી. તેની ભરતીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાથી તે ભરતી 4 જૂલાઈ, 2015ના રોજ રદ કરવી પડી હતી. 2014મા ગુજરાતમાં બહુ ગાજેલા તલાટી કૌભાંડના મુખ્ય આરોપી ગાંધીનગર સ્માર્ટ ટ્રેનિંગ સેન્ટર ચાલવતા કલ્યાણસિંહ ચંપાવત હોવાનું સરકાર જાહેર કરી રહી હતી. પણ આરોપી કહી રહ્યો હતો કે મુખ્ય કૌભાંડી તો રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છે. સરકારના ઈશારે પોલીસે તેમને આરોપી બનાવ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી પંચાયતમાંથી જે ઉમેદવારો પાસ થાય છે તેમાં પણ સેટિંગ કરવામાં આવે છે અને એટલું જ નહીં, પણ જ્યારે 2014મા તલાટી કૌભાંડ બહાર આવ્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે રૂ. 1 લાખની ગેરેન્ટી સાથે ઉમેદવાર લેવાના અને ત્યારબાદ રૂ. 10 લાખ લેવાના. તેમણે આરોપ લગાવ્યો કે તેને બનાસકાંઠાની ટિકિટ મળે તેમ હોવાથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આખા કાવતરાને અંજામ આપ્યો છે. જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી દરેક પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવે છે

ભુપેન્દ્રસિંહ દ્વારા કંઈ ન કરાયું

તલાટી પરીક્ષા કૌભાંડમાં કલ્યાણસિંહ ચંપાવતના આક્ષેપોને ફગાવી, શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઇકોર્ટના વકીલ મારફતે કલ્યાણસિંહ ચંપાવતને નોટિસ પાઠવી છે. 30 દિવસમાં માફી નહીં માગે તો કલ્યાણસિંહ ચંપાવત સામે બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવશે. કલ્યાણસિંહે ન તો માફી માંગી છે કે ન તો ભાજપના સૌથી મોટા નેતા ભૂપેન્દ્રસિંહ દ્વારા તેમની સામે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે.

50 હજાર કર્મચારીઓની આવી ભરતી

ગુજરાત સરકારમાં 50 હજાર કર્મચારીઓને ગેરકાયદેસર રીતે તલાટીથી માંડીને વિવિધ જગ્યાઓમાં નોકરીઓ આપી દેવામાં આવી છે તેવો આક્ષેપ કરી કલ્યાણસિંહ ચંપાવતે જણાવ્યું કે, 82 ઉમેદવારોને તલાટીની પરિક્ષામાં પાસ કરાવવા મેં જ રૂ. 5 કરોડ આપ્યા હતાં. મંત્રીઓના સગા જ દલાલોની ભૂમિકા ભજવી રહ્યાં છે. સેટિંગ કરવા માટે જ તલાટીનું રિઝલ્ટ મોડું આપવામાં આવે છે. 15 ફેબ્રુઆરી, 2015ના રોજ તલાટીની પરિક્ષા લેવાઈ ને, 4 જુલાઈ, 2016ના રોજ આખીય ભરતી રદ કરી દેવાઈ હતી. દોઢ વર્ષ સુધી રિઝલ્ટ ન આપવા પાછળનું કારણ હજુ સુધી સમજાતુ નથી. ચૂંટણી ફંડના નામે ભાજપ સરકાર જ ભરતી વખતે નાણાં ઉઘરાવે છે.

AAPનો આરોપ કૌભાંડ 10 હજાર કરોડનું

ગુજરાતમાં અંદાજિત 10,000 કરોડના તલાટી ભરતી કૌભાંડમાં ન્યાયી અને નિષ્પક્ષ તપાસ SIT દ્વારા કરવા માટે આમઆદમી પક્ષે તે સમયે માગણી કરી હતી. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિહં ચૂડાસમાએ પદત્યાગ કરવો જોઈએ, તેમ કહીને તેમના રાજીનામાની માગણી કરી હતી. આનંદીબેનના રાજમાં રૂ. 100 કરોડ ઉઘરાવીને મળતિયાઓને તલાટીની નોકરીઓ આપવાની હતી.

હાર્દિક પટેલનો આરોપ

PAASના નેતા હાર્દિક પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે, હાર્દિક પટેલે તલાટી ભરતી માટે 2014મા પરીક્ષા આપી હતી. હાર્દિકના જણાવ્યા પ્રમાણે તલાટી પરીક્ષા વખતે કલ્યાણસિંહ ચંપાવતે હાર્દિક પટેલ પાસે પૈસા માગ્યા હતા. ચંપાવત એન્ડ કંપનીએ હાર્દિક પટેલ પાસેથી કુલ રૂ. 40 લાખની માગણી કરી હતી. હાર્દિક સહિત તેની બહેન અને અન્ય એક મિત્રને પાસ કરવા 13 - 13 લાખ રૂપિયાની માગ થઈ હતી. હાર્દિકને પેપરમાં ANS B સાઇડ લખવા કહેવામાં આવ્યું હતું.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp