DPSના CEO મંજુલા પુજા શ્રોફ ઢોંગી નિત્યાનંદના ભક્ત છે તેમણે આશ્રમને જમીન આપી છે

PC: ahmedabadmirror

ધર્મની પક્કડ માત્ર અશિક્ષીત લોકો ઉપર હોય છે તેવું નથી પણ ખરેખર હાથીજણમાં આવેલી ડીપીએસ સ્કુલના કેમ્પસમાં જ ચાલતા ઢોંગી નિત્યાનંદ બાબાના આશ્રમ માટે ડીપીએસ સ્કુલના સીઓ મંજુલા પુજા શ્રોફ ખુદ પોતે  અંધ ભકત હોવાની હકિકત બહાર આવી છે. ખુદ ડીપીએસ સ્કુલ દ્વારા નિત્યાનંદ આશ્રમ માટે જમીન આપવામાં આવી હોવાનું ફલીત થયુ છે. હવે પગ નીચે રેલો આવતા સ્કુલે આશ્રમને લીઝ ઉપર જમીન આપી હોવાનો દાવો કર્યો છે. પણ સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લાં કેટલાંક વર્ષોથી મંજુુલા શ્રોફ પોતે બાબાના અનુયાયી થઈ ગયા હોવાને કારણે આશ્રમને જમીન દાનમાં આપી દીધી છે.

સ્કુલ દાવો કરે છે કે ડીપીએસ સ્કુલ અને આશ્રમ વચ્ચે કોઈ સંબંધ નથી. પણ સ્કુલના તમામ બાળકો અને શિક્ષકો જાણે છે કે મંજુલા શ્રોફ પોતે જ આશ્રમમાં નિયમિત આવતા હતા. ડીપીએસ સ્કુલના બાળકોને આશ્રમમાં મોકલવામાં આવતા હતા. એક તરફ દેશની મોટી શિક્ષણ સંસ્થા હોવાનો દાવો કરતી ડીપીએસ સ્કુલના બાળકોને ધર્મના નામે અધંશ્ર્ધ્ધાના પાઠ ભણાવવામાં આવતા હતા. આમ ખુદ મંજુલા શ્રોફ્ર પોતે નિત્યાનંદ આશ્રમનો હિસ્સો હોવાને કારણે આશ્રમની પ્રવૃત્તિ ઉપર ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ સ્કુલના પ્રિન્સીપાલ પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાતમાં નિત્યાનંદ આશ્રમની પ્રવૃત્તિ વધારવાની જવાબદારી મંજુલો પુજા શ્રોફની હતી. તેમની સાથે અન્ય સ્વૈચ્છીક સંસ્થા ચલાવતી અમિતાભ શાહ નામની વ્યકિત પણ નિત્યાનંદ આશ્રમની પ્રવૃત્તિ વધારવાની કામગીરી કરતી હતી. મંજુલા શ્રોફ અને અમિતાભ શાહ સાથે કામ કરતા હતા. અમદાવાદમાં આવેલી અંધજન મંડળના વિધ્યાર્થીઓ ત્રીજી આંખે જોઈ શકે તેવા દાવો કરતા આશ્રમના આ કાર્યક્રમને લઈ મંજુલા શ્રોફ અને અમિતાભ શાહ અંધજન મંડળમાં જતા હોવાની જાણકારી મંડળ દ્વારા આપવામાં આવી છે. આશ્ચર્ય તે બાબતની છે કે એક શાળા પોતાના કેમ્પસમાં એક આશ્રમને જગ્યા ફાળવે અને જયાં સગીર યુવતીઓને ગોંધી રાખવાની ફરિયાદ થાય ત્યાર બાદ પણ શાળા યુવતીની મદદ કરવાને બદલે બાબાઓને મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp