શિક્ષણમંત્રીએ જણાવ્યું ફરી શરૂ થયેલી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે

PC: khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવ્યા મુજબ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે તારીખ 11 જાન્યુઆરી 2021થી રાજ્યમાં આવેલા તમામ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં ધો.10 અને ધો.12ના વર્ગોમાં પૂન: પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણયને પ્રથમ દિવસે વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આ સાથે રાજ્યમાં કોલેજ કક્ષાએ પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષના અભ્યાસ વર્ગો પણ શરૂ થયા છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અને રાજ્ય મંત્રી મતી વિભાવરીબહેન દવેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, દસ માસના લાંબા સમયગાળા બાદ આજથી રાજ્યની તમામ શાળાઓમાં ધો.10 અને ધો.12નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. આ શિક્ષણ કાર્યમાં પ્રથમ દિવસે જ 35 ટકા થી 40 ટકા જેટલા વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ રીતે વર્ગખંડોમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.

તેઓએ આ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને આ મુજબની વ્યવસ્થા કાયમી ધોરણે ચાલુ રહે તેવી સુચના આપી છે. તેમણે વાલીઓનો આભાર વ્યક્ત કર્યો અને બાકીના વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે અનુરોધ પણ કર્યો છે.

મંત્રીઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારા દિવસોમાં આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે. ઉલ્લેખનીય છે કે, દસ માસના લાંબા સમયગાળા બાદ શરૂ થયેલા પૂન: શૈક્ષણિક કાર્યના પ્રથમ દિવસે રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અધિકારીઓએ વિવિધ મથકોએ વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp