ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની મોડી આવી તો MS યુનિવર્સિટીએ પરીક્ષામાં બેસવા ન દીધી

PC: khabarchhe.com

સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો વડોદરાની MS યુનિવર્સિટીમાં હાલ વિવિધ ફેકલ્ટીમાં પરીક્ષા ચાલી રહી છે ત્યારે બીજી ઘણી ફેકલ્ટીમાં વેકેશન પણ શરૂ થઈ ગયું છે, કોરોના કાળ દરિમયાન ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમા પરીક્ષા ઓનલાઇન લેવામાં આવી હતી,ત્યારબાદ કોરોનાનો કહેર ઓછો થતા સમગ્ર ગુજરાતમાં યુનિવર્સિટી રાબેતા મુજબ ઓફલાઇન શરૂ કરી દેવામાં આવી છે, અને તમામ ફેકલ્ટીમાં પરીક્ષા પણ ઓફલાઇન લેવાની ફરજીયાત બની છે.

ત્યારે હાલ કોમર્સ ફેકલ્ટીમાં ty b comની ફાઇનલ વર્ષની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે યુનિવર્સિટીના સત્તાધીશો પર વેધક સવાલો ઉઠે તેવી ઘટના પ્રકાશમાં આવી હતી.હિતાક્ષી વૈદ્ય નામની વિદ્યાર્થીની એમ.એસ યુનિવર્સિટીમાં ty bcomમાં અભ્યાસ કરે છે.

હાલ યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલતી હોવાથી હિતાક્ષી સવારે પોતાના ઘરેથી પરીક્ષા આપવા નીકળી હતી,દરમિયાન મનીષા ચોકડી નજીક તેના વિહિકલ સામે અચાનક જ સ્વાન આવી જતાં તેનો અકસ્માત થયો હતો અને તેને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, હિતાક્ષીને મોહના ભાગે કુલ 9 ટકા આવ્યા છે સાથે પગેથી ચલાય તેવી સ્થિતિ પણ ન હતી, છતાંય હિતાક્ષી તેની માતાને બોલાવી ડોકટરી દવા કરાવી જેમતેમ કરી પરીક્ષા આપવા કોમર્સની યુનિટ બિલ્ડિંગ ખાતે પહોંચી હતી.

કમનસીબે કોમર્સના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીનીને બેસવા દેવામાં આવી ન હતી, વિદ્યાર્થીની ત્યાં ચોધાર આંસુએ રડીને સત્તાધીશો સમાજ કરગરતી રહી કે મને ફક્ત 1 કલાક પરીક્ષામાં બેસવા દો હું પાસ થઈ જઇશ જો પરીક્ષા નહિ આપુ તો મારું ભવિષ્ય જોખમાશે છતાં ફરજ પર હાજર પ્રોફેસરના પેટનું પાણી હલ્યું ન હતું. ત્યારે પૂર્વ વિદ્યાર્થીનેતા કુમાર પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હિતાક્ષીને ન્યાય અપાવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. સાથે agsu વિદ્યાર્થી સંગઠન પણ આવી પહોંચ્યું હતું અને સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કરી હતી.

આ મુદ્દે કોમર્સ ફેકલ્ટીના વાઇસ ડીન કલ્પેશ શાહ દ્વારા પરીક્ષાના નિયમો આગળ ધરી પોતાનો લુલો બચાવ કરવામાં આવ્યો હતો,અને જણાવ્યું હતું કે 30 મિનિટ બાદ કોઈને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવે નહિ તેવો નિયમ છે, મહત્ત્વની વાત છે કે એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાવો સૂત્રનો ઉપયોગ કરી દેશ વિદેશમાં વાહવાહિ લુંટી રહી છે ત્યારે આજે યુનિવર્સિટી સત્તાધીશો આ સૂત્રનો અનાદર કરતા જોવા મળ્યા હતાં, વિધાર્થીની 1 કલાક મોડી આવતા પરીક્ષામાં ન બેસવા દેવાઈ.

બીજી બાજુ 800 વિદ્યાર્થીઓને કોપીકેશમાં નિર્દોષ પણ છોડવામાં આવ્યા હતાં, મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શિક્ષણને ખુબ મહત્ત્વ અપાતું હતું તેમના રાજ્યના નાગરિકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ્ય સાથે તેમના દ્વારા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં હતી પરંતુ યુનિવર્સિટીના હાલના વહીવટદારોના ખોખલા નિયમો અને અકળના કારણે આજે એક વિદ્યાર્થીનીનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp