વંશીય રાજકારણ એ સામાજિક ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ છે: PM મોદી

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને રાજકારણમાં નિઃસ્વાર્થપણે અને રચનાત્મક રીતે યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આજે દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે બોલતા PMએ નોંધ્યું હતું કે રાજકારણ એ અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટેનું એક મોટું માધ્યમ છે અને બાકી ક્ષેત્રોની જેમ જ તેમાં પણ યુવાનોની ઉપસ્થિતિ એ રાજકારણમાં પણ અત્યંત જરૂરી છે. PMએ યુવાનોને ખાતરી આપી હતી કે અનૈતિક લોકોની પ્રવૃત્તિ તરીકે રાજકારણની જૂની છબી હવે બદલાઈ રહી છે અને આજે ઈમાનદાર લોકો સેવા કરવાની તક મેળવી રહ્યા છે. વર્તમાન સમયમાં ઈમાનદારી અને પ્રદર્શન એ સમયની તાતી જરૂરિયાત બની ગયા છે.

આ સંદર્ભમાં PMએ વંશીય રાજકારણ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એ હવે એવા લોકો ઉપર બોજ બની ગયું છે કે જેમની વંશ પરંપરા જ ભ્રષ્ટાચાર હતી. દેશ પરિવાર અને સગાવાદને બદલે પ્રામાણિકતાને વધુ પ્રાથમિકતા આપી રહ્યો છે અને ઉમેદવારો પણ સમજી રહ્યા છે કે માત્ર સારું કાર્ય કરવું એ જ મહત્ત્વનું છે. તેમણે યુવાનોને વંશ પરંપરાગત વ્યવસ્થાને મૂળમાંથી ઉખાડી ફેંકવાનું આહ્વાન કર્યું હતું. વંશીય રાજકારણ એ લોકશાહી વ્યવસ્થા તંત્રમાં અક્ષમતા અને સરમુખત્યારશાહીને પ્રોત્સાહન આપે છે કારણ કે આ વંશીય વારસદાર લોકો પોતાના પરિવારનું રાજકારણ અને રાજકારણમાં રહેલા તેમના પરિવારને બચાવવા માટે કામ કરતાં હોય છે. PMએ જણાવ્યું હતું કે આજે, માત્ર અટકના જોરે ચૂંટણી જીતવાના દિવસો પૂરા થઈ ગયા છે છતાં વંશીય રાજકારણની આ બીમારી હજી દૂર કરવાની બાકી છે. રાજકીય વંશ પરંપરા રાષ્ટ્રને આગળ વધારવાના બદલે પોતાને અને પોતાના પરિવારને આગળ વધારે છે. ભારતમાં સામાજિક ભ્રષ્ટાચાર હોવાનું આ સૌથી મુખ્ય કારણ છે.

PMએ યુવાનોને રાજકારણમાં આવવાનું આહ્વાન કર્યું હતું કારણ કે તેમનો પ્રવેશ વંશીય રાજકારણને બંધ કરવાની બાહેંધરી આપશે. PM મોદીએ કહ્યું હતું કે આપણી લોકશાહીને બચાવવા માટે તમે રાજકારણમાં જોડાવ તે અનિવાર્ય છે. તમારી પાસે સ્વામી વિવેકાનંદ જેવા મહાન માર્ગદર્શક છે અને જો તેમની પ્રેરણા વડે આપણાં યુવાનો રાજકારણમાં જોડાશે તો દેશ મજબૂત બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp