કંગનાના તીખા આરોપોનો આમિર ખાને પહેલીવાર આપ્યો જવાબ

PC: bizasialive.com

‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ ફેમ કંગના રણૌતે થોડાં દિવસો પહેલા આમિર ખાન, આલિયા ભટ્ટ, ટ્વિંકલ ખન્ના જેવા મોટા સ્ટાર્સ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. કંગનાએ કહ્યુ હતુ કે, કોઈપણ પોતાની ફિલ્મ રીલિઝના સમયે મને બોલાવે છે, પરંતુ તેમની ફિલ્મ રીલિઝ થતા જ તે બધા ગાયબ થઈ જાય છે. કંગનાએ આ નારાજગી ‘મણિકર્ણિકા’ની રીલિઝ બાદ જાહેર કરી હતી. હવે કંગનાના આ તીખા સવાલો પર પહેલીવાર આમિરનું રિએક્શન સામે આવ્યુ છે.

આમિર ખાને પોતાના જન્મદિવસના અવસરે મીડિયા સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, કંગના રણૌત તારાથી નારાજ છે, તે કંગનાની ફિલ્મ નથી જોઈ? તો તેના જવાબમાં આમિરે સામો સવાલ કર્યો હતો, અચ્છા કંગના નારાજ છે. મને તો ખબર જ નથી. હું આ અંગે તેની સાથે વાત કરીને જવાબ આપીશ.

 
 
 
View this post on Instagram

Gehri soch :-)

A post shared by Aamir Khan (@_aamirkhan) on

જણાવી દઈએ કે, કંગના રણૌતે બોલિવુડના સિતારાઓ પર નિશાનો સાધતા કહ્યુ હતુ કે, આખી ઈન્ડસ્ટ્રી તેની વિરુદ્ધ ગેંગઅપ થઈ ગઈ છે. મને હંમેશાં ઈગ્નોર કરવામાં આવે છે. મારા મુવી ટ્રાયલમાં કોઈ નથી આવતું. પરંતુ જ્યારે તેમનો વારો આવે છે ત્યારે તેઓ બેશરમ બનીને મને ફોન કરે છે અને બોલાવે છે. હું મારો પ્લાન કેન્સલ કરીને તેમના ઈવેન્ટમાં જતી હતી. પરંતુ મારામાં કોઈ નથી આવતુ, આ બધુ વધારે થઈ રહ્યુ હતુ આથી મેં પણ હવે બધે જવાનું બંધ કરી દીધુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp