શશી થરૂર પણ બોલ્યા ફિલ્મ 'પદ્માવતી' વિવાદ પર

PC: indianexpress.com

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ફિલ્મ 'પદ્માવતી'ને લઈને ચાલી રહેલા વિવાદને સંપૂર્ણ વાહિયાત ગણાવ્યો હતો. થરૂરે કેરલમાં ચાલી રહેલા 22માં કેરળ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં ‘Freedom of Expression’ વિષય પર ચાલી રહેલી ચર્ચામાં હિસ્સો લેતા કહ્યું હતું કે, 'કોઈને પણ આ કહેવાનો હક નથી કે કોઈ ફિલ્મ અથવા પુસ્તકમાં શં હોવું જોઈએ અને શું નહીં.' તેમણે એ પણ કહ્યું હતું કે, 'પદ્માવતીને' લઈને ચાલી રહેલો વિવાદ એકદમ વાહિયાત છે. આપણે એવા સમયમાં છીએ જ્યાં કોઈને કંઈ પણ બોલવાની આઝાદી છે.' આ ચર્ચામાં હિસ્સો બનેલી અપર્ણા સેને પણ કહ્યું હતું કે, 'આઝાદીના વિચાર, ખાસ કરીને રચનાત્મક કલાકારોની આઝાદીના વિચારને લઈને કોઈ સમજોતા થઈ શેક તેમ નથી.'
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.