ધોનીના રિટાયરમેન્ટ પર લતા મંગેશકરે કરી ભાવુક કરી દેનારી પોસ્ટ
વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર બાદ મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસને લઇને ઘણી ચર્ચાઓ ચાલુ થઇ ગઇ છે, ત્યારે બધી ચર્ચાથી ભારત રત્ન અને સુરસામ્રાજ્ઞી લતા મંગેશકર ખૂબ દુખી થઇ ગયા છે. ઘણા લોકો ધોનીને તેની ઇનિંગ માટે થેંક્યુ કહી રહ્યા છે તો ઘણા ધોનીની ઝાટકણી કાઢી રહ્યા છે. પરંતુ લતા મંગેશકરે મહેન્દ્રસિંહ ધોનીના સમર્થનમાં ટ્વીટ કરી લોકોને ભાવુક કરી દીધા હતા.
Namaskar M S Dhoni ji.Aaj kal main sun rahi hun ke Aap retire hona chahte hain.Kripaya aap aisa mat sochiye.Desh ko aap ke khel ki zaroorat hai aur ye meri bhi request hai ki Retirement ka vichar bhi aap mann mein mat laayiye.@msdhoni
— Lata Mangeshkar (@mangeshkarlata) July 11, 2019
લતા મંગેશકરે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું હતું કે, ‘નમસ્કાર એમ.એસ.ધોનીજી. આજકાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા ઇચ્છો છો. કૃપયા એવું તમે ન વિચારો. દેશને તમારી રમતની જરૂર છે અને આ મારી પણ તમને રિક્વેસ્ટ છે કે રિટાયરમેન્ટનો વિચાર પણ તમારા મનમાં ન લાવો.’
Kal bhalehi hum jeet na paaye ho lekin hum haare nahi hain.Gulzar sahab ka cricket ke liye likha hua ye geet main hamari team ko dedicate karti hun. https://t.co/pCOy7M1d1Y
— Lata Mangeshkar (@mangeshkarlata) July 11, 2019
લતા મંગેશકરની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયુવેગે પસરી ગઇ હતી. હજારો લોકોએ લતા મંગેશકરના આ નિવેદનનું સમર્થન કર્યું હતું. આ સિવાય લતા મંગેશકરે એક બીજી ટ્વીટ કરીને એક સોંગ શેર કર્યું હતું. આ સોંગ શેર કરતા તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, કાલે ભલે આપણે જીતી ન શક્યા, પરંતુ આપણે હાર્યા નથી. ગુલઝાર સાહેબે ક્રિકેટ માટે લખેલું આ ગીત હું આપણી ટીમને ડેડિકેટ કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp