આ અભિનેતાની પત્ની બની શકે છે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર
મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે કે, તે ટૂંક સમયમાં જ બોલિવુડમાં પગ મુકી શકે છે. એવામાં નવા સમાચાર એવા આવ્યા છે કે, માનુષી છિલ્લર પૃથ્વીરાજ ચૌહાણ પર બની રહેલી બાયોપિકમાં કામ કરી શકે છે.
એવી જાણકારી મળી છે કે, માનુષી છિલ્લર પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિક ફિલ્મની ટીમમાં સામેલ થઈ ચુકી છે અને તે આ ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીનો રોલ પ્લે કરી શકે છે. પરંતુ તેને લઈને હજુ સુધી મેકર્સ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી. આ અગાઉ માનુષી છિલ્લરને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે તે રણવીર સિંહની સાથે ફિલ્મમાં આવી શકે છે, પરંતુ એવું ના થઈ શક્યું. જણાવવામાં આવી રહ્યું છે કે, પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિકમાં માનુષી સંયુક્તા, કે જે પૃથ્વીરાજની ત્રણ પત્નીઓમાંથી એક હતી, તેનું કેરેક્ટર પ્લે કરી શકે છે.
View this post on Instagram“On blue waters I roam, under the open skies...”
A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on
જણાવી દઈએ કે, ભારતના છેલ્લાં હિંદુ ક્ષત્રિય રાજા કહેવાતા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર બનનારી ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં હશે. આ ફિલ્મ આ વર્ષે શરૂ થશે અને આવતા વર્ષે તેને રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મની સાથે અક્ષય કુમાર ફરી એકવાર યુદ્ધના મેદાનમાં હશે. આ વર્ષે આવેલી તેની ફિલ્મ ‘કેસરી’, બેટલ ઓફ સારાગઢી પર આધારિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp