શ્રીદેવીની ફિલ્મ હવે માધુરીને મળતા જ્હાન્વીએ શું કહ્યું?

PC: instagram.com

બોલિવુડની ચાંદની તરીકે ઓળખાતી અભિનેતી શ્રીદેવીને કરણ જોહરની આગામી ફિલ્મ 'શિદ્દત' માટે સાઈન કરવામાં આવી હતી પરંતુ દુબઈમાં થયેલા તેના આકસ્મિક મૃત્યુને લીધે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના તેના ફેન્સને સદમો લાગ્યો છે.

ત્યાં જ હવે 'શિદ્દત' ફિલ્મમાં શ્રીદેવીનો રોલ માધુરી દીક્ષિત ભજવતી જોવા મળશે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે કરણ જોહરની ફિલ્મ 'શિદ્દત' એક મલ્ટીસ્ટારર છે. આ ફિલ્મમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા પણ છે.

શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરે પોતાના ઈનસ્ટાગ્રામ અકાઉન્ટ પર જાણકારી આપી છે કે આ ફિલ્મમાં તેની મમ્મી જોવા મળનારી હતી, પરંતુ હવે માધુરી દીક્ષિત તેને લીડ કરશે. તેણે પોતાના ઈનસ્ટાગ્રામમાં માધુરી અને શ્રીદેવીનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે અભિષેક વર્માની આગામી ફિલ્મ મોમના દિલની ઘણી નજીક રહી હતી... ડેડ, ખુશી અને હું માધુરીજીનો આ સુંદર ફિલ્મનો ભાગ બનવા બદલ આભાર વ્યક્ત કરું છું.

 

જાણકારી પ્રમાણે કરણ જોહરે તેની આ આગામી ફિલ્મ માટે માધુરી દીક્ષિતને અપ્રોચ કરી છે. આ ફિલ્મ દ્વારા ફિલ્મમેકર કરણ જોહર અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવામાં માગે છે. ફિલ્મ 'શિદ્દત'ની સ્ટોરી ભારત-પાકિસ્તાનના વિભાજન પર આધરિત હશે.

આ ફિલ્મને '2 સ્ટેટ્સ'ના નિર્માતા અભિષેક વર્મન ડાયરેક્ટ કરશે. ત્યારે બીજી બાજુ માધુરીની વાત કરીએ તો ફિલ્મમાં 20 વર્ષ પછી તે અને સંજય દત્ત એકસાથે જોવા મળશે. માધુરી દીક્ષિતના ઘણા ફેન્સ તેને રૂપેરી પડદા પર જોવાની ઇચ્છા દર્શાવી રહ્યા છે. શ્રીદેવી પોતાના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા માટે દુબઈ ગઈ હતી, જ્યાં હોટેલના રૂમના બાથટબમાં આકસ્મિક રીતે ડૂબવાથી તેનું મૃત્યુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp