અજયના કારણે હું હજુ સુધી કુંવારી છું, તેને પોતાના કર્યા પર પસ્તાવો જરૂર હશેઃ તબૂ

PC: spotboye.com

તબ્બૂ અને અજય દેવગનને હંમેશાંથી જ 90ના દાયકાના ઑન સ્ક્રીન કપલ્સમાંથી એક માનવામાં આવે છે. બંનેએ એકસાથે કેટલીય બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કર્યો છે. બંને સારા મિત્રો પણ છે. અજય દેવગનની સાથે તબ્બૂએ 'વિજયપથ' (1994), 'હકીકત' (1995), 'ઠક્ષક' (1999), 'દ્રશ્યમ' (2015), 'ગોલમાલ અગેન' (2017) અને 'દે દે પ્યાર દે' (2019) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

તબ્બૂ અને અજય દેવગનની જોડી એકવાર ફરી સ્ક્રીન પર ધમાલ મચાવવા તૈયાર છે. બંને સ્ટાર હવે 'દ્રશ્યમ 2' અને 'ભોલા'માં પણ સ્ક્રીન શેર કરશે. જે એક એક્શન ડ્રામા છે અને તામિલ ફિલ્મ 'કૈથી'ની રીમેક છે. તબ્બૂએ હાલમાં જ અજય દેવગનને લઈને જે ખુલાસો કર્યો છે, એ ચોંકાવનારો છે. રિપોર્ટ અનુસાર, એક ઇન્ટરવ્યૂમાં તબ્બૂએ કહ્યું હતું કે, અજય દેવગન તેની જાસૂસી કરતો હતો. એટલું જ નહીં તે એવા છોકરાઓને પણ ધમકાવતો હતો જે તેની આસપાસ ભટકતા અથવા તો વાત કરતા હોય.

અભિનેત્રીએ કહ્યું કે, અજય તેના ભાઈ સમીરનો પડોશી હતો. ત્યારે તબ્બૂ ઘણી નાની હતી. સમીર અને અજય મળીને તબ્બૂની જાસૂસી કરતા હતા અને જે છોકરો તબ્બૂની આસપાસ ભટકતો કે એની સાથે વાત કરતો દેખાય, તો બંને એ છોકરાને ધમકાવતા હતા. તબ્બૂએ આગળ કહ્યું કે, હું આજે સિંગલ છું તો એની પાછળનું કારણ માત્ર અને માત્ર અજય દેવગન જ છે, કારણ કે અજય અને એનો ભાઈ સાથે મળીને તેના પર નજર રાખતા હતા. એ જ કારણ છે કે એના જીવનમાં કોઈ છોકરો નથી.

તબ્બૂએ કહ્યું કે, અજયના કારણે હું સિંગલ છું અને હું આશા રાખું છું કે તેણે જે કર્યું છે તેનો તેને અફસોસ થાય. લગ્નને લઈને મજાક કરતા તબ્બૂએ કહ્યું કે, જો કોઈ હોય કે જેના પર હું વિશ્વાસ કરી શકું તો તે અજય છે. તબ્બૂએ આગળ કહ્યું કે, અજય એક બાળક જેવો છે. તેમ છતાં પણ તે પ્રોટેક્ટિવ છે. જ્યારે તે આસપાસ હોય છે ત્યારે સેટ પર વાતાવરણ સારું અને તણાવમુક્ત હોય છે. અમારા બંને વચ્ચે ખુબ જ ખાસ સંબંધો છે.
RJ સિદ્ધાર્થ કનન સાથેની વાતચીતમાં તબ્બૂએ કહ્યું કે, અજય ક્યારેય પણ એને લગ્ન માટે નહીં કહે. તબ્બૂએ કહ્યું હતું કે, અજય એને ખુબ જ સારી રીતે જાણે છે, અને તે જાણે છે કે મારા માટે શું યોગ્ય છે.

આના પર સિદ્ધાર્થે અજયને પૂછ્યું કે તબ્બૂ માટે શું યોગ્ય છે, જેનો જવાબ આપતા અજયે કહ્યું- 'હું તેના માટે યોગ્ય છું.' અજયે કહ્યું કે અમે બાળપણથી જ એકબીજાની સાથે આવા જ છીએ. તેણે હજુ સુધી ઘર કેમ નથી વસાવ્યું. આના પર અજયે કહ્યું કે તે તેના પરિવારમાં સારી રીતે સેટલ થઇ ગઈ છે. અભિનેત્રીએ કહ્યું કે, હું તેના પરિવારમાં સ્થાયી થઇ ગયો છું, મિત્રોનું પરિવાર આપણું પરિવાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp