આત્મસંયમની કેળવણીનો મહિનો એટલે રમજાન, એતેકાફનું અકલ્પનીય મહત્ત્વ

PC: wellthy.care

હિંદ સહિત સમગ્ર ભારતીય ઉપખંડથી સહિત વિશ્વના જુદા જુદા ભાગોમાં વસ્તા બે અબજથી વધારે મુસ્લિમો રમજાન માસમાં રોઝા રાખે છે. રમજાનમાં ફકત ખાવા-પીવાની બાબતનો ત્યાગ કરવો એટલે રોઝા રાખવો નહી પરંતુ ભૂખ-તરસની સાથે સાથે પોતાની તમામ નકારાત્મક અને અલ્લાહ દ્વારા સામાન્ય દિવસોમાં જે બાબતોને વૈધ(Permisable) કરવામાં આવી છે તેનાથી પણ અળગા રહેવાનું નામ રોજો છે. ફકત આધ્યાત્મિક ઉન્નતીનો રાહ જ નહી પણ ગરીબો,મોહતાજો અને જરૂરતમંદોનો સામુહિક દૃષ્ટિકોણથી વિચાર કરી તેમના પ્રત્યે વ્યક્તિગત અને સામુહિક જવાબદારી નકકી કરવાનું નામ પણ રોઝો છે.

વિશ્વમાં પ્રવર્તમાન દરેક ધર્મમાં આત્મસંયમને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એમ જોવા જઇએ તો આત્મસંયમ એક વ્યક્તિગત બાબત છે છતાંયે ઇસ્લામે આત્મસંયમને વ્યક્તિની સાથે સાથે સમુહ સાથે પણ કનેકટ કરી દીધું. રમજાનમાં ફકત ખાવા-પીવાની બાબતનો ત્યાગ કરવો એટલે રોઝા રાખવો નહી પરંતુ ભૂખ-તરસની સાથે સાથે પોતાની તમામ નકારાત્મક અને અલ્લાહ દ્વારા સામાન્ય દિવસોમાં જે બાબતોને વૈધ(Permisable) કરવામાં આવી છે તેનાથી પણ અળગા રહેવાનું નામ રોજો છે. ફકત આધ્યાત્મિક ઉન્નતીનો રાહ જ નહી પણ ગરીબો,મોહતાજો અને જરૂરતમંદોનો સામુહિક દ્ષ્ટિકોણથી વિચાર કરી તેમના પ્રત્યે વ્યક્તિગત અને સામુહિક જવાબદારી નકકી કરવાનું નામ પણ રોજો છે.

રમજાન અરબી શબ્દ રમ્ઝ પરથી બન્યો છે

રમજાન અરબી શબ્દ રમ્ઝ પરથી બન્યો છે. જેનો અર્થ થાય છે બુરાઇને બાળવી અર્થાત વ્યક્તિ પોતાનામાં રહેલી તમામ બુરાઇઓ પર આ મહિનામાં નિયંત્રણ મેળવીને જીવનભર તેના પર અમલ કરવાનો પ્રયત્ન કરે.

રમજાનમાં રોજાનું મહત્વ

ઇસ્લામી કેલેન્ડરના 9માં મહિનો એટલે રમજાન, રમજાનમાં રોઝા ફરજીયાત કરવા પાછળનું કારણ આત્મસંયમ, ઇશપરાયણતા, તમામ પ્રકારની બુરાઇઓથી પોતાને અને સમાજને બચાવવું, ગરીબો પ્રત્યે હમદર્દી પેદા કરવી છે. એટલે જ કુર્આન કહે છેકે,‘ એ લોકો જેઓ ઇમાન(આસ્થાવાન લોકો) તમારા માટે રોઝા એના માટે ફરજીયાત કરવામાં આવ્યા કે તમારાથી પૂર્વે પર ઇશદૂતો(નબીયો)ના અનુયાયીઓ માટે પણ ફરજીયાત કરવામાં આવ્યા હતા. જેથી આશા છેકે, તમે સંયમી બનો’ ( સુરઃ બકરહ, આયત નંબર 183)

રોજાનો સમયગાળો અને રાખવાની તકેદારી

મળસ્કે પૂર્વે સહરી કરવામાં આવે છે, એટલે કે માણસ આખો દિવસ ભૂખ્યો રહેશે, દિવસ દરમિયાન જરૂરત જેટલી કેલેરી મળી રહે તેટલું ભોજન કરવું. સૂર્યોદયથી(સહેરી) લઇને મગરીબ( સૂર્યાસ્ત) સુધી કોઇપણ પ્રકારનું અન્ન-જળ ગ્રહણ ન કરવું, પોતાની પત્ની જોડે સંભોગ નહી કરવો, જુઠ ન બોલવુ, કોઇની લગીરેય નિંદા ન કરવી, કોઇના પર ખોટા આરોપ-તોહમત ન લગાવવું, ઝઘડો નહી કરવો જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

કુર્આનનું થયું હતું અવતરણ

રમજાન ઇસ્લામી કેલેન્ડરનો 9મો મહિનો છે. આ જ મહિનામાં અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ(સલ) પર સર્જનહાર દ્વારા કુર્આનનું અવતરણ કરવામાં આવ્યું હતું. તેના માટે કહેવામાં આવ્યું કે,‘ રમજાન તે મહિનો છે જેમાં કુર્આનનું અવતરણ કરવામાં આવ્યું જેમાં મનુષ્યજાતિ માટે સ્પષ્ટ માર્ગદર્શન છે અને તેના સ્પષ્ટ શિક્ષણ પર આધારિત છે જે સીધું માર્ગદર્શન કરનારી તેમજ સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરનારું, હવે જે વ્યક્તિને આ મહિનો મળે તેના માટે જરૂરી છેકે તે આ મહિનાના પુરા રોઝા રાખે ’ (સુરઃ બકરહ,185)

તરાવીહની નમાઝ

આમતો સામાન્ય દિવસો પણ પુખ્તવયના સ્ત્રી-પુરુષો માટે નમાઝ છે જે પરંતુ રમજાનની અંદર આ પાંચ સમયની નમાઝની સાથે સાથે રાતે તરાવીહની નમાઝ કે દરેક મસ્જિદની અંદર સામુહિક રીતે પઢવામાં આવતી હોય છે. જેમાં કુર્આનને સાંભળવાથી ખુબજ પુણ્ય મળે છે.

રમજાનમાં ઝકાત(દાન)નું મહત્વ

દરેક એ મુસ્લિમ સંપત્તિવાન સ્ત્રી અને પુરુષને પોતાની સંપત્તિમાંથી 2.5 ટકા જેટલી ઝકાત(દાન) આપવું ફરજીયાત છે. ઇસ્લામના પાયાના પાંચ સ્તંભોમાંથી એક સ્તંભ ઝકાત પણ છે. જે સમાજના ગરીબ અને જરૂરતમંદોને આપવામાં આવે છે. રમજાનમાં ઝકાત આપવાથી તેનું પુણ્ય વધુ મળે છે.

રમજાનના અંતિમ દસ દિવસોમાં એતેકાફ

રમજાનના અંતિમ દસ દિવસોમાં મસ્જિદની અંદર એતેકાફ કરવામાં આવે છે. એતેકાફ એટલે મસ્જિદના પ્રાર્થનાખંડ(જમાતખાના)માં એક બાજુ સતત ઇબાદતમાં રહેવાનું તેમજ નકકી કરેલા વિસ્તારથી બહાર નહી નિકળવું. કેવળ પોતાની જરૂરીયાતની પૂર્ણતા માટે જ એ જગ્યાએથી હટી શકાય. જેનો ઉદે્શ્ય લોકોથી અળગા થઇને પોતાના એકમાત્ર સર્જનહારની ઇબાદત(ઉપાસના)માં લીન થવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp