ઉત્તરાયણના દિવસે પવન કેવો હશે, શું કહે છે અંબાલાલ પટેલની આગાહી

ઉત્તરાયણ એ ગુજરાતનો સૌથી માનીતો તહેવાર છે અને હવે આ ઉત્સવને 2 જ દિવસ આડા છે. ઉત્તરાયણના દિવસે લોકોને સૌથી મોટું ટેન્શન એ હોય છે કે પવન આવશે કે નહી? જો પવન પુરતો ન હોય તો પતંગ ઉડાવવાની મજા મરી જાય.
અમે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલ પાસેથી જાણ્યું છે કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે દક્ષિણ ગુજરાતમાં પવન કેવો રહેશે? અંબાલાલ પટેલે કહ્યું કે, વહેલી સવારે ઘણો સારો પવન રહેશે એટલે વહેલી સવારથી જ ધાબે ચઢી જવું જોઇએ. એ પછી સવારે 10 વાગ્યા સુધી 10થી 12 કિ.મીની ઝડપે પવન રહેશે. બપોરના સમયે 7થી 8 કિ.મી અને સાંજે ફરી 10થી 12 કિ.મી પવન રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp