ગુજરાત સરકારનો આદેશઃ મીઠાઇ ઉત્પાદકોએ મીઠાઇ પર બેસ્ટ બિફોર ડેટ ફરજિયાત લખવી પડશે

PC: myudaipurcity.com

રાજ્યના મીઠાઇ ઉત્પાદકોએ તા.1લી ઓક્ટોબર-2020થી આઉટલેટ ઉપર વેચાણ માટે રાખવામાં આવેલી નોન પેકેજ્ડ કે લુઝ મીઠાઇના કન્ટેનર/ટ્રેની ઉપર જે તે પ્રોડક્ટની Best Before Date ફરજિયાતપણે દર્શાવવાની રહેશે તેમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે.

પરંપરાગત રીતે બનતી દુધની મીઠાઇની સલામતી માટે FSSAI દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં અલગ-અલગ પ્રકારની મીઠાઇઓની સેલ્ફ લાઇફ દર્શાવવામાં આવી છે. જે FSSAIની વેબસાઇટની www.fssai.gov.in પર ઉપલબ્ધ છે. FSSAIના આદેશ અનુસાર ફુડ બીઝનેસ ઓપરેટર્સએ ખાદ્ય ચીજ વસ્તુના પ્રકાર તથા સ્થાનીક પરિસ્થિતિને આધારે બેસ્ટ બિફોર ડેટ નક્કી કરીને ફરજિયાત દર્શાવવાની રહેશે.

આઉટલેટ ઉપર વેચાણ માટે રાખેલા નોન પેકેજ્ડ/લૂઝ મીઠાઇના કન્ટેનર/ટ્રેની ઉપર ફુડ બિઝનેસ ઓપરેટર ડેટ ઓફ મેન્યુફેક્ચરીંગ પણ દર્શાવી શકશે જે મરજિયાત અને અબાધિત છે. પરંતુ બેસ્ટ બીફોર ડેટ ફરજિયાત લખવાની રહેશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરે વધુમાં જણાવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp