અમદાવાદમાં મમતા દીદી વિશે જાણો અમિત શાહે શું કહ્યું

PC: twitter.com/AmitShah

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે મંગળવારના રોજ અમદાવાદમાં મેરા પરિવાર ભાજપા પરિવાર અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે અમદાવાદમાં પોતાના નિવાસસ્થાનેથી આ અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. તેમણે દેશભરમાં BJP તરફથી વિજય સંકલ્પ રેલી કાઢવા અને PM નરેન્દ્ર મોદી માટે દેશભરના લોકોમાં સમર્થન હોવાની વાત પણ કરી હતી.

મેરા પરિવાર ભાજપા પરિવાર અભિયાનની શરૂઆત કરતા BJP અધ્યક્ષે કહ્યું હતું કે, હું દેશભરમાં ફરું છું. પૂર્વોત્તરથી લઇને કન્યાકુમારી સુધી અને આસામથી લઇને ગુજરાત સુધી. દેશની જનતા PM નરેન્દ્ર મોદી સાથે ચટ્ટાનની જેમ ઉભી છે. જનસમર્થન લોકોની આંખોમાં સ્પષ્ટ દેખાય છે.

તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે, હું આ મંચ પરથી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કહેવા માગું છું કે મમતા દીદી દબાવવાથી ક્યારેય BJP દબાતી નથી, પરંતુ વધુ નીખરીને આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp