કોરોના સામે લડવા સ્વામિનારાયણ મંદિર દ્વારા 25 લાખનો ચેક અર્પણ કરાયો

PC: khabarchhe.com

નોવેલ કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશને લોક ડાઉન કરી દેવામાં આવ્યો છે. ધંધા-રોજગાર બંધ કરીને લોકોને ઘરમાં રહેવાની આગ્રહભરી વિનંતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. આવા સમયે જરૂરિયાતમંદોની દવા અને અન્ય સેવા-સુવિધા માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકોને આગળ આવી સંકટ સમયમાં માનવતાની ભૂમિકા અદા કરવા માટે નમ્ર ભાવે મુખ્યમંત્રી રાહતનિધિમાં દાન આપવા માટે અનુરોધ કર્યો છે.

આ ઉમદા અભિગમને આવકારી રાજ્ય સરકારના માધ્યમથી ગુજરાતના નાગરિકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહતનિધિમાં આજે સ્વામિનારાયણ મંદિર, કુંડળધામના સ્વામી પ.પૂ. જ્ઞાનજીવનદાસજી દ્વારા રૂા.25 લાખના દાનનો ચેક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અર્પણ કરવામાં આવ્યો છે. વધુમાં કોરોના વાયરસની બીમારી સામે લડવા માટે નાગરિકો, સેવાભાવિ સંગઠનો મુખ્યમંત્રી રાહતનિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો નીચે જણાવ્યા મુજબના બેંક ખાતામાં ઓનલાઈન આપી શકશે.

જિલ્લાકક્ષાએ જિલ્લા કલેકટરો પણ આ ચેક સ્વીકારશે. બેંક ખાતાની વિગતો આ મુજબ છે.

CMRF BANK DETAILS

A/C NAME : CHIEF MINISTER'S RELIEF FUND

A/C NO. 10354901554

SAVINGS BANK ACCOUNT

SBI , NSC BRANCH (08434)

IFSC: SBIN0008434

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp