તાંત્રિકે હસ્તરેખા જોઈ પત્નીનું લગ્ન પહેલા કોઈ સાથે લફરૂ હોવાનું કહ્યુ પછી પતિએ.

PC: divyabhaskar.in

ભાવનગર જિલ્લાના કરદેજ ગામના એક યુવકનું પ્રેમ પ્રકરણ 20 વર્ષ પછી ફરી શરૂ થયાની આશંકા વ્યક્ત કરી માતાજીના ભૂવા તરીકે ઓળખાતા એક યુવકે એના સાળા તથા બીજા મિત્રોની સાથે રહી પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી નાંખી છે. આ હત્યા બાદ મૃતદેહને વિરમગામ નજીકના નાળામાં ફેંકી શખ્સો ફરાર થઈ ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને LCBની ટીમે સુરત તેમજ આણંદ પાસેના ભેટાસી ગામેથી છ શખ્સોની ધરપકડ કરી છે.

જેમાં આ ભુવાનો પણ સમાવેશ થાય છે. આરોપી ભૂવો અને તેના મિત્રો લોકડાઉન બાદ ઉજ્જૈન ફરવા માટે ગયા હતા. જ્યાં તેણે એક તાંત્રિકને પોતાની હસ્તરેખા બતાવી હતી. આ તાંત્રિકે પત્નીનું લગ્ન પહેલા કોઈ સાથે લફરૂ હોવાની વાત કહી હતી. એટલે શંકાની સોય દિમાગમાં ઘર કરી ગઈ હતી.આ અંગે જ્યારે પત્નીને પૂછ્યું ત્યારે અગાઉ મરનાર સાથે સંબંધો હોવાની તેણે કબૂલાત કરી. પછી બંને વચ્ચે હજું પણ કંઈક રંધાતું હોવાની આશંકાથી હત્યા માટેનું કાવતરૂ રચવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના કરદેજ ગામે મૃતક રાજુ હાડા રહેતો હતો. તા.29 ઑક્ટોબરના રોજ બાઈક લઈને તે પોતાના સાસરિયામાં આવવા નીકળ્યો હતો. પણ બે દિવસ સુધી પરત ન આવતા એ ગુમ થયાની ફરિયાદ આંકલાવ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.

તા. 6 નવેમ્બરના રોજ કાબરાના નાળા તરીકે ઓળખાતા નર્મદા કેનાલના નાળામાં વિરમગામ-માલવણ રોડ નજીક કોહવાયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, આ મૃતદેહ રાજુ હાડાનો છે. આ પછી કોઈ અજાણ્યા વ્યક્તિએ મૃતદેહ નાળામાં ફેંકી દીધો હશે એવી આશંકા વ્યક્ત થઈ. જેને લઈ વિરમગામ ગ્રામ્ય પોલીસ અને LCBએ તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાંથી જાણ થઈ કે, ભેટાસી ગામની યુવતી મીના ઉર્ફે મીઠી ભરવાડ સાથે જૂનો પ્રેમ સંબંધ હતો.

(મૃતક- રાજુ)

પોલીસે ઘટના સ્થળની આસપાસ મોબાઈલ લોકેશન મુદ્દે તપાસ કરતા મીનાના પતિ અને માતાજીના ભૂવા શેલા ભરવાડનો નંબર વટામણ ચોકડી સુધી એક્ટિવ જણાયો હતો. LCBની ટીમે શેલા ભરવાડની પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો પ્લાન ખૂલ્યો હતો. જ્યારે રાજુ ભેટાસીમાં હતો ત્યારે તા.30 ઑક્ટોબરે રાત્રે શેલાએ લાયસન્સ વાળી રિવોલ્વરથી રાજુ પર ફાયરિંગ કર્યું હતું. જ્યારે શેલાના સાળા દોલા ભરવાડને એની રેકી કરવાનું કામ સોંપાયું હતું. આસોદરા ચોકડી સુધી પીછો કર્યા બાદ અન્ય શખ્સ મેલા ભરવાડે એનો પીછો કર્યો હતો. એવામાં શેલા ભરવાડ પોતાના મિત્રો સાથે કામરેજથી નીકળ્યો હતો. વટામણ ધોલેરા હાઈવે પર મોટીબોરૂ ગામ નજીક દોલા ભરવાડે રાજુને માથામાં એક ફટકો મારીને પાડી દીધો હતો.

જ્યાં શેલા ભરવાડ આવી પહોંચતા એનું અપહરણ કરીને ગાડીમાં જ હત્યા કરી નાંખી હતી. વિરમગામ નળસરોવર રોડ પર કડુ ગામ પાસે આવેલા નાળામાં એનો મૃતદેહ ફેંકી કપડાં કેનાલ નજીક સળગાવી દીધા હતા. જ્યારે માથામાં મારેલી લાકડી કેનાલમાં ફેંકી દીધી. રાજુ અને મીના વચ્ચે 20 વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો. મીનાએ મિત્ર સાથે રાજુના લગ્ન કરાવી દીધા હતા. પણ ઉજ્જૈનમાં એક તાંત્રિક કહેલી પત્નીના લફરા અંગેની વાત પર આશંકા પેસી જતા પૂર્વ પ્રેમી સાથે હજું સંબંધ હોવાની આશંકાથી રાજુનું ઢીમ ઢાળી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp