ગુજરાત સરકારના ઓનલાઇન યોગા ક્લાસ શરૂ થયા

PC: radiance-yoga.net

યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નહિ પણ સંપૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે અને મેડિકલ સાયન્સે પણ આ સ્વીકારી લીધું છે ત્યારે, કોરોનાની મહામારીને નાથવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે યોગ માત્ર એક અસરકારક માધ્યમ પુરવાર થશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોની ઘરે બેઠા યોગ અંગે માર્ગદર્શન મળી રહે તે માટે તા. 5મી જૂનથી તા. 21મી જૂન-2020 દિવસ દરમિયાન 17 દિવસ સુધી ઓનલાઇન યોગ નિદર્શનના ક્લાસ શરૂ કરાયા છે એમ બોર્ડના ચેરમેન શીશુપાલ રાજપૂત દ્વારા જણાવાયું છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય તેવી સફળ કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે લોકડાઉન દરમિયાન લોકોમાં યોગ અંગેની તથા તેનાથી થતા ફાયદાની જાણકારી મળે અને લોકો યોગ કરતા શીખે તે માટે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઓનલાઇન કલાસ લેવામાં આવે છે. ખાસ કરીને લોકોની ઇમ્યુનીટી વધે અને લોકો યોગ કરતા થાય તે માટે તા.05/06/2020થી તા.21/06/2020 એમ 17 દિવસ સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઓફિશિયલ ફેસબુક પેઇજ https://www.facebook.com/Gujaratyogboard/ ઉપરથી બોર્ડ દ્વારા સવારના 7-00થી 7-50 સુધી ઓનલાઇન યોગ કલાસ ચાલુ કરવામાં આવ્યા છે. તેમજ મહિલાઓતથા બાળકો માટે સાંજના 05-30થી 6-30 કલાક સુધી યોગ નિષ્ણાંત બહેનો મારફતે ઓનલાઇન યોગ કલાસ શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવનાર ઓનલાઇન યોગ કલાસથી લોકોને લાભ મળી રહયો છે અને લોકો 100 સુર્ય નમસ્કાર કરવા માટેનો ચેલેન્જ પણ એકસેપ્ટ કરી રહયા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ ચેલેન્જ સ્વીકારી યોગ અંગેનો 03 મિનિટનો વીડિયો બનાવી અપલોડ કરવા અપીલ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે પણ ગુજરાતમાંથી આ ચેલેન્જને સ્વીકારી યોગ બોર્ડના માધ્યમથી લોકોને જાગૃત કરી વીડિયો અપલોડ કરવા પ્રેરણા આપવામાં આવે છે.

21 મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.05/06/2020થી તા.21/06/2020 સુધી ઓનલાઇનના માધ્યમથી ઓનલાઇન યોગ કલાસ નિબંધ સ્પર્ધા, લેકચર સીરીઝ તથા વીડિયો ચેલેન્જ વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ 21મી જૂન વિશ્વ યોગ દિવસે ઓનલાઇન યોગ કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાઇ તે માટે રજીસ્ટ્રેશન કરાવવા https://forms.gle/P9ckdBdPVPBJ1cAV8 જણાવવામાં આવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 5000થી વધુ યોગ ટ્રેનરોને તાલીમ આપવામાં આવેલ તથા ઓનલાઇન યોગ કલાસ શરૂ કરવા માટે પણ પ્રેરણા આપવામાં આવી છે. લોકડાઉન દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોચ દ્વારા ઓનલાઇન યોગ શિબિરો ચાલુ રાખી યોગની તાલીમ આવી છે.

ભારતીય સંસ્કૃતિની દેન યોગને આખા વિશ્વમાં પહોચાડવા માટે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષીત કરાવવામાં ભારતના વડાપ્રધાન માન.નરેન્દ્ર મોદીએ સુચન કરેલ જેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2015થી 21મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયુ. જે સંકલ્પને પરીપુર્ણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 21 જૂન 2019ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે.

સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવુ રાજ્ય છે કે જે યોગ જાગૃતતા અંગેનું અભિયાન ચલાવી રહ્યુ છે. ગુજરાત ભરમાથી મોટી સંખ્યામાં લોકોનો ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હવે મેડીકલ સાયન્સએ પણ સ્વીકારી લીધુ છે કે યોગ એ માત્ર શારીરીક વ્યાયામ નહી સંપુર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. હવે દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે, જેનાથી બીમાર વ્યક્તિને સારૂ સ્વાસ્થ્ય મળે છે અને સ્વસ્થ વ્યક્તિને સફળતા મળે છે. તેમજ યોગ કરી ઇમ્યુનીટી વધારી કોરોનાને હરાવીએ.અને કોરાનાને હરાવવા માટે ઇન્યુનીટી વધારવા માટે સારો ઉપાય એક માત્ર યોગ છે.જે ભારતીય સંસ્કૃતિની દેન છે. જીવનમા સારૂ સ્વાસ્થ્ય, સફળતા અને સંપુર્ણ સુખોને પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ યોગ છે. તો આવો આપણે સૌ યોગ સાથે જોડાઇયે અને યોગ કરી તંદુરસ્ત ભારતનું નિર્માણ કરીએ તેમ તેમણે ઉમેર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp