આ અભિનેત્રીએ જણાવ્યું, ગુસ્સાને કંટ્રોલ કરવા માટે સરળ યોગાસન
શારીરિક વ્યાયામ શરીરને સ્ટ્રેચ કરવા કરવા ઉપરાંત નસોની સાથે જ તંત્રિકા તંત્રને પણ શાંત કરે છે. જિમમાં કરવામાં આવતી એક્સરસાઈઝ મોટાભાગે શરીરને જ ફાયદો પહોંચાડે છે. પરંતુ યોગ શરીરની સાથે જ મનને પણ શાંતિ આપે છે. આ જ કારણ છે કે, ભારતના મહાન યોગ ગુરુઓએ હજારો વર્ષોની તપસ્યા અને શોધ બાદ યોગ વિજ્ઞાનનું નિર્માણ કર્યું. કેટલાક યોગાસન શરીરના વિવિધ અંગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ કેટલાક યોગાસન શરીર નહીં મનનો ઈલાજ કરે છે.આવા યોગાસનોને વિશિષ્ટ અથવા સ્પેશિયલ માનવામાં આ છે. આવું જ એક યોગાસન શશાંકાસન પણ છે. તેને અંગ્રેજીમાં રેબિટ પોઝ પણ કહેવામાં આવે છે. આ યોગાસન શરીરમાં ક્રોધની ઉગ્ર ભાવનાને નિયંત્રિત કરવા માટે જાણીતું છે.
હાલમાં જ બોલિવુડ એક્ટ્રેસ સોનલ ચૌહાણે પણ સોશિયલ મીડિયા પર શશાંકાસનને કરવાની રીત અને ફાયદાઓ વિશે જાણકારી આપી છે. તમે આ યોગાસનના ફાયદાઓ ઉઠાવી શકો છો. પોતાની પોસ્ટમાં સોનલે લખ્યું, આ યોગ પેટને અંદરની તરફ વાળીને કરવામાં આવતા મોટાભાગના આસનો કરતા ઘણું સરળ છે. કારણ તમે સંપૂર્ણરીતે ઊંધા નથી અને માથા પર વજન પણ ખૂબ જ ઓછું આવે છે. તેમ છતા તમે આ આસનના ઘણા પ્રકારના લાભ ઉઠાવી શકો છો. તે તમને ઉર્જા અને માનસિક સ્પષ્ટતા આપે છે કારણ કે તેના અભ્યાસના સમયે તમારું માથું હૃદય કરતા નીચે રહે છે. આ યોગમુદ્રા દરમિયાન શ્વાસ લેવા પર ધ્યાન કેન્દ્રિત રાખીને તમે તેનો મહત્તમ લાભ લઈ શકો છો.
View this post on InstagramA post shared by Sonal Chauhan (@sonalchauhan) on
શશાંકાસન કરવાના ફાયદા
- શશાંકાસન ઉપરના શરીરને ફેલાવે છે. આ અંગોમાં કરોડરજ્જુ અને સ્નાયુની માંસપેશીઓ સામેલ છે, તે કરોડરજ્જુની નસો પર પણ પ્રેશર આપે છે.
- આ આસન કરોડરજ્જુને ખોલે છે, સ્ટ્રેચિંગમાં મદદ કરે છે અને પાસળીની અંદર રહેલી ડિસ્કને પણ સ્ટિમ્યુલેટ કરે છે. આ ડિસ્કના સ્પંજી સ્વભાવને જાળવી રાખવામાં મદદ કરે છે. તેને કારણે પીઠનો દુઃખાવો દૂર કરવા માટે દરરોજના કામકાજ દરમિયાન લાગતા ઝટકાઓને પણ સહન કરવામાં મદદ મળે છે.
- શરીરના સામેના અંગોની માલિશ કરે છે. પેટની માંસપેશીઓ અને અંગોને ઉત્તેજિત કરે છે, જેને કારણે પાચનમાં સુધારો થાય છે.
- પિટ્યૂટરી, પીનિયર, થાઈરોઈડ અને પેરૈથાઈરોઈડ ગ્રંથિઓ અને ઈમ્યૂન અને એન્ડોક્રાઈન સિસ્ટમને પણ સ્ટિમ્યુલેટ કરે છે.
- આ આસન પેલ્વિક માંસપેશીઓને ટોન કરે છે અને પગની માંસપેશીઓને આરામ આપે છે. તે સાઈટિકાના દુઃખાવામાં પણ રાહત આપે છે.
- પગ પર પડતા દબાણને કારણે વેરિકોઝ વેનની સમસ્યાને ઓછી કરવામાં મદદ મળે છે. આ આસન સેક્સ્યુઅલ ડિસઓર્ડરને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ આસન ડાયાબિટીસની સમસ્યાઓમાં પણ રાહત આપી શકે છે.
- શશાંકાસનના અભ્યાસથી મસ્તિષ્ક અને સંવેદી અંગોમાં લોહીની આપૂર્તિ વધે છે. તેનાથી એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો આવે છે. તે મગજને આરામ પણ આપે છે.
- આ આસન બાલાસનને મળતું આવે છે, આ આસન સુરક્ષા અને આત્મસમર્પણની ભાવના પેદા કરે છે.
- આ મુદ્રા માનસિક તણાવમાંથી રાહત પ્રદાન કરવા માટે જાણીતી છે. આ આસન એ લોકોને કરવાની સલાહ આપવામાં આવે છે, જે પોતાને ભાવનાત્મકરીતે અસંતુલિત અનુભવી રહ્યા હોય અથવા જેમને ગુસ્સો અથવા નિરાશાને નિયંત્રિત કરવામાં મુશ્કેલી આવતી હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp