દેશમાં HMPVની હાલની સ્થિતિ શું છે, સરકારે જણાવી તમામ માહિતી
ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે ગઈકાલે વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં ભારતમાં શ્વસન બિમારીઓની વર્તમાન સ્થિતિ અને ચીનમાં HMPV કેસોમાં ઉછાળાના મીડિયા અહેવાલો બાદ HMPV કેસની સ્થિતિ અને તેના સંચાલન માટે જાહેર આરોગ્ય પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સચિવ (ડીએચઆર) ડૉ. રાજીવ બહલ, ડો.(પ્રોફેસર) અતુલ ગોયલ, ડીજીએચએસ; રાજ્યોના આરોગ્ય સચિવો અને અધિકારીઓ, એનસીડીસીના નિષ્ણાતો, આઇડીએસપી, આઇસીએમઆર, એનઆઈવી અને આઇડીએસપીનાં રાજ્ય નિરીક્ષણ એકમો ઉપસ્થિત રહ્યા હતા.
આઈડીએસપીના ડેટા દેશમાં ક્યાંય પણ ILI /SARI કેસોમાં કોઈ અસામાન્ય વધારો સૂચવતા નથી. આઇસીએમઆરના સેન્ટિનલ સર્વેલન્સ ડેટા દ્વારા પણ તેને સમર્થન આપવામાં આવ્યું છે.
केंद्रीय स्वास्थ्य मंत्री श्री @JPNadda ने #HMPV मामलों को लेकर किसी भी तरह की चिंता की आवश्यकता नहीं होने का आश्वासन दिया है।
— Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2025
उन्होंने बताया कि यह वायरस पहले ही 2001 में पहचाना गया था और यह नया नहीं है। यह मुख्य रूप से सर्दियों और वसंत ऋतु की शुरुआत में फैलता है।
भारत में इस… pic.twitter.com/e7NwDcdmBY
કેન્દ્રીય આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, HMPVથી લોકો માટે ચિંતાનું કોઈ કારણ નથી જે 2001થી વૈશ્વિક સ્તરે હાજર છે. તેમણે રાજ્યોને ILI /SARI સર્વેલન્સને મજબૂત બનાવવા અને તેની સમીક્ષા કરવાની સલાહ આપી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં શ્વસન બિમારીઓમાં વધારો જોવા મળે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશ શ્વસન સંબંધી બીમારીના કેસોમાં કોઈપણ સંભવિત ઉછાળા માટે સારી રીતે તૈયાર છે.
#HealthForAll
— Ministry of Health (@MoHFW_INDIA) January 7, 2025
Update on HMPV
Union Health Secretary reviews present situation of respiratory illnesses in the country, and status of public health measures for their management
No surge in the country of respiratory illness; sturdy surveillance to detect such cases
States…
હ્યુમન મેટાપ્ન્યુમોવાયરસ (HMPV) એ ઘણા શ્વસન વાયરસમાંથી એક છે જે તમામ ઉંમરના લોકોમાં ચેપનું કારણ બની શકે છે. ખાસ કરીને શિયાળા અને વસંત ઋતુના પ્રારંભિક મહિનાઓ દરમિયાન તેના કેસ વધુ જોવા મળે છે. વાયરસનો ચેપ સામાન્ય રીતે હળવી અને સ્વ-મર્યાદિત સ્થિતિ હોય છે અને મોટાભાગના કિસ્સાઓમાં જાતે જ સાજા થઈ જવાય છે. આઈસીએમઆર-વીઆરડીએલ પ્રયોગશાળાઓ પાસે પર્યાપ્ત નિદાન સુવિધાઓ ઉપલબ્ધ છે એવી જાણકારી પણ આપવામાં આવી હતી.
રાજ્યોને વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકોમાં આઈઈસી અને જાગરુકતા વધારવાની સલાહ આપવામાં આવી છે. જેમ કે સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, ગંદા હાથોથી પોતાની આંખો, નાક કે મોઢાને અડવાનું ટાળવું, રોગના લક્ષણો દર્શાવતા લોકો સાથે નજીકના સંપર્કને ટાળવો, ઉધરસ અને છીંક વગેરે વખતે મોં અને નાકને ઢાંકી દેવા સહિતની સલાહ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp