રાત્રે 12થી 3 વાગ્યા દરમિયાન જાગનારા થઈ શકે છે આ બીમારીઓનો શિકાર

PC: indianexpress.com

ઓછી ઊંઘના કારણે લોકોને લાંબા સમય સુધી મુશ્કેલીઓ હેરાન કરી શકે છે. આ મુશ્કેલી તમારા વિચારો કરતા પણ વધુ મોટી હોઈ શકે છે. તમે જો એ લોકોમાંથી હો જે રાત્રે 1થી 3 વાગ્યાની વચ્ચે જાગતા રહેતા હોય અને સવારે 4 વાગ્યાની આસપાસ ઊંઘતા હોય. તો તમારી સ્લીપ સાઇકલ ખૂબ જ ખરાબ હોઈ શકે છે. રાતના સમયે એટલે કે અંધારાની સાથે સેરોટોનિન હોર્મોનનું વધવુ, આ મનને શાંત કરવા અને ઊંઘ તરફ લઈ જવા માટે જાણીતું છે. સાથે જ આ ઈલેક્ટ્રોફિઝિયોલોજિકલ, ન્યૂરોકેમિકલ, જીનેટિક અને ન્યૂરોફાર્માકોલોજિકલ આધાર પર રેપિડ આઈ મુવમેન્ટ જે ઊંઘમાં એક મોટી ભૂમિકા નિભાવે, તેને પ્રભાવિત કરે છે. એવામાં જ્યારે તમે રાત્રે આ દરમિયાન જાગતા હો તો શરીરમાં ઘણા બદલાવ આવે છે જે લાંબા સમયમાં તમને બીમાર કરી શકે છે.

રાત્રે 12થી 3 જાગવાથી સેરોટોનિન હોર્મોન ઓછું થવા માંડે છે. આ સાથે જ ડોપામાઇનની પણ ઉણપ થવા માંડે છે. એવામાં શરીરમાં હોર્મોનલ અસંતુલનની વચ્ચે ચાલ્યુ જાય છે અને મગજ લાંબા સમય સુધી ચાલવા માંડે છે. આ કારણે બ્રેન આરામ નથી કરી શકતું, શરીરના બાકી અંગોને આરામ ના કરવા દે અને શરીર પોતાને ક્લીન અને ડિટોક્સ કરીને રીસ્ટાર્ટ ના કરી શકે. તેનાથી આ બીમારીઓનું જોખમ વધે છે.

રાત્રે 12થી 3 જાગનારા લોકો થઈ શકે છે આ બીમારીઓનો શિકાર

સૌથી વધુ થાય છે એંગ્જાયટી

જે લોકો રાત્રે આ દરમિયાન જાગે છે તેઓ પોતાના શરીરના ફોર્મેટથી ઉલટ જઈને કામ કરે છે. આ એક પ્રકારનું શરીર માટે પ્રેશર છે. તેનાથી હોર્મોનલ અસંતુલન થાય છે જેને કારણે સૌથી વધુ એંગ્જાયટીની સમસ્યા વધી શકે છે. આવા લોકો દુઃખી અને ગુસ્સાવાળા બની શકે છે અને તેમને એંક્જાયટી એટેક આવી શકે છે.

હાઈ બીપીની સમસ્યા

રાત્રે 12થી 3 જાગનારા લોકોને હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. આવા લોકો નાની ઉંમરમાં હાઈ બીપી અને હૃહય સાથે સંકળાયેલી બીમારીઓ થઈ શકે છે. કારણ કે, બોડી વધુ પડતું પ્રેશર સહન કરી રહ્યું હોય છે.

સ્ટ્રોક અને હાર્ટ એટેક

સ્ટ્રોક અને હાર્ટ એટેક બંને એ લોકોમાં સરળતાથી થઈ શકે છે કારણ કે, ઓછી ઊંઘ તમારા હૃદયને બીમાર કરી શકે છે અને તેની અસર તમારા બ્લડ વેસલ્સે ઉઠાવવી પડી શકે છે જે કોઈપણ દિવસ સ્ટ્રોક અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ

ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ, ઓછી ઊંઘ લેનારા લોકોને વધુ થઈ શકે છે. સેરોટોનિનની ઉણપથી હેપ્પી હોર્મોનની ઉણપ થાય છે. તે ઓવરથિંકિંગ અને નેગેટિવ વિચારો તરફ લઈ જઈ શકે છે, જે ઉદાસીનું કારણ બની શકે છે અને તમે ડિપ્રેશનનો શિકાર થઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp