થર્મલ પાવર પ્લાન્ટ્સ અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

PC: dnaindia.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીએ રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે 8થી 10 ટકા જેટલી વીજ માંગને પહોંચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટ્સના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં હવે કોઇ નવા થર્મલ પાવર પ્લાન્ટ્સની પરવાનગી સરકાર આપશે નહીં.

રાજ્યની વીજ માંગ પૂર્ણ કરવાના હેતુસર સૌરઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત દ્વારા વીજ ઉત્પાદનથી ગ્રીન કલીન એનર્જીના માધ્યમથી ગુજરાતને પ્રદૂષણમુકત અને પર્યાવરણપ્રિય રાજ્ય બનાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય સીમાચિન્હ અને અન્ય રાજ્યો માટે દિશાદર્શક બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp