સ્ટાર્ટઅપનું વેપારી મોડલ સફળ થાય છે તે ધ્યાન રાખજો: સુરેશ પ્રભુ

PC: khabarchhe.com

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ ઉદ્યોગ સાહસિકોને જણાવ્યું હતું કે જો કોઈ સ્ટાર્ટ અપને સફળ બનાવવું હોય તો બજારમાં ગેપ(અવકાશ) ક્યા છે તે શોધવું જોઈએ અને તેની આસપાસ વેપાર મોડલ તૈયાર કરવું જોઈએ. તેમણે ગાંધીનગરના ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે વાર્ષિક ઉદ્યમિતા ફેસ્ટ – એમ્પેસરીયો સ્ટાર્ટ અપ સમિટ 2018ને સંબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે શરુ થનાર દરેક સ્ટાર્ટ અપ ટકી ન શકે. પરંતુ બજારની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને, જે ક્ષેત્ર હજુ વણખેડાયેલું હોય, એવા ક્ષેત્રમાં સ્ટાર્ટ અપ સફળ થવાની સંભાવના વધી જાય છે. અંત:પ્રેરણા (Intuition) એ જીવનની અત્યંત મહત્વની બાબત છે. પોતાની અંત:કરણથી આવતા વિચારો પર વિશ્વાસ ન કરે એ વ્યક્તિ સફળ થઇ શકતો નથી. આ માટે યુવાન ઉદ્યોગ સાહસિકોને તેમણે સલાહ આપી હતી કે તમારી આંખો ખુલ્લી રાખો, બરાબર વિચારો અને બજારમાં રહેલા એ ગેપને શોધી કાઢો તથા એ ગેપને પૂરો કરવા માટે વેપાર મોડલ તૈયાર કરો.

કેન્દ્રીય મંત્રીએ EDII ને પણ કોઈ સ્ટાર્ટ અપ સફળ કે નિષ્ફળ કેમ થાય છે તે અંગે એક વિગતવાર અભ્યાસ હાથ ધરવા જણાવ્યું છે. સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે વિશાલ જનસંખ્યા અને ઘટતા જતા સ્રોતોને કારણે આપણે વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ ત્યારે ડીઝાઇનીંગ તેમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. એનઆઈડી ઓછા સ્રોતોનો ઉપયોગ કરી ટકાઉ પેદાશ તૈયાર કરવા માટે મોટો ફાળો આપી શકે તેમ છે. આપણી આદિવાસી પરંપરાગત રચનાઓ પણ અદ્ભુત હોય છે. તે કોઈ સ્થાનિક ઉપયોગ માટે હોઈ શકે પરંતુ એનઆઈડી તેમની ડીઝાઇનનો અભ્યાસ કરીને આજની જરૂરીયાત મુજબ મોટા પાયે ઉત્પાદન માટે તેનું વિસ્તરણ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp