ગુજરાતના ઉદ્યોગોમાં રૂ. 1 કરોડ લગાવાય તો કેટલાને નોકરી મળે? આંકડો ચોંકાવનારો

PC: livehindustan.com

ગુજરાત સરકારનો દાવો છે કે વાયબ્રન્ટ સમિટ પછી રાજ્યમાં મોટા અને મધ્યમ ઉદ્યોગોમાં એક કરોડ રૂપિયાના રોકાણ સામે પાંચ વ્યક્તિને રોજગારી મળે છે પરંતુ હકીકત એવી છે કે આટલા રોકાણમાં માત્ર એક વ્યક્તિને રોજગારી મળે છે. જો કે રોજગારી આપવાનો દર શૂક્ષ્મ, લધુ અને મધ્યમ વર્ગના ઉદ્યોગોમાં ખૂબ ઉંચો જોવા મળ્યો છે.

ગુજરાતમાં ભલે નવ વાયબ્રન્ટ સમિટ થયાં હોય પરંતુ નોકરીઓ આપવામાં ગુજરાતના ઉદ્યોગ વિભાગના ડેટા ગગડી ચૂક્યાં છે. થોડાં સમય પહેલાં થયેલા એક સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં મોટા ઉદ્યોગોમાં થઇ રહેલું મૂડીરોકાણ સ્થાનિક નોકરીના સર્જનમાં કામ આવતું નથી.

સર્વેક્ષણ કહે છે કે ગુજરાતમાં વાયબ્રન્ટમાં કરેલા એમઓયુ પછી જે ઉદ્યોગો ઉત્પાદનમાં જાય છે તેમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળવાનો દર ખૂબ ઓછો જોવા મળે છે. છેલ્લી નવ વાયબ્રન્ટ સમિટમાં થયેલા મૂડીરોકાણ સામે રોજગારીનો દર ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે. અલબત્ત, કોરોના સંક્રમણના કારણે છેલ્લા પોણા બે વર્ષથી રાજ્યના ઉદ્યોગોમાં કોસ્ટ કટીંગના કારણે હજારો યુવાનોએ નોકરીઓ ગુમાવી છે.

એક કરોડના રોકાણમાં એક વ્યક્તિને રોજગારી મળે છે તેવા સર્વેક્ષણ સામે ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ બચાવ કરતાં કહ્યું હતું કે જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં કેટલીક ત્રુટીઓ જોવા મળે છે. ગુજરાતમાં સરકારના અંદાજ પ્રમાણે એક કરોડના રોકાણમાં ત્રણ વ્યક્તિને રોજગારી મળી રહી છે. ખાસ કરીને એમએસએમઇ સેક્ટરમાં રોજગારીનું પ્રમાણ ખૂબ ઉંચું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp