અધૂરા કામો પૂરા કરવા ઉમેદવારને પ્રજાએ શપથ લેવડાવ્યા

PC: nijerashikhi.org.uk

નગરપાલિકા ચૂંટણીમાં પ્રચાર માટે લોકોની વચ્ચે જતાં ઉમેદવારો સામે એક નવી મુસીબત આવી રહી છે. લોકોની વચ્ચે જાય છે ત્યારે તેમની પાસેથી તેમના મત વિસ્તારોના કામ કરવા માટે જાહેરમાં શપથ લેવડાવે છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાં રતનપર વોર્ડમાં ભાજપના કાર્યકરો પ્રચાર માટે નિકળ્યા હતા ત્યારે તેમની પાસેથી સ્થાનિક લોકોએ ગટરના અધૂરા કામ પૂરા કરવા માટે શપથ લેવડાવ્યા હતા. છેવાડાના વિસ્તારમાં હજુ પણ ગટર અને રોડ બન્યા નથી તેથી તે બનાવી આપવામાં આવશે એવું જાહેર કર્યું હતું. આમ લોકો હવે પોતાના પ્રતિનિધિઓ કામ કરે તેવી અપેક્ષા રાખે છે એવું નથી પણ ખાતરી પણ લેવા લાગ્યા છે. એ લોકશાહીની પરીપક્વતાં દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp