સુતા પહેલા 2 ઈલાયચી ખાઈને પીઓ ગરમ પાણી થશે આ ફાયદા

PC: licdn.com

ભારતીય રસોઈમાં ઉપયોગ થઇ રહેલી ઈલાયચી ભોજનમાં સ્વાદ વધારવાનું કામ કરે છે. તેમજ કેટલાક લોકો ઈલાયચીનો ઉપયોગ માઉથ ફ્રેશનરના રૂપમાં પણ કરે છે પરંતુ શું તમે જાણો છો કે ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવાથી રોગ પણ દૂર થઇ શકે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે ઇલાયચીનું સેવન કયા-કયા રોગને દૂર કરવામાં મદદ કરે છે.

ઈલાયચી ખાઈને પાણી પીવાથી દૂર થશે આ રોગ

પેટ થઇ જશે અંદર

જો તમે વધતા પેટને અંદર કરવા ઇચ્છો છો તો રાત્રે 2 ઈલાયચી ખાઈને ગરમ પાણી પીઓ. જેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B1, B6 અને વિટામિન C હોય છે, જે વધુ ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે.

પેટથી જોડાયેલી પરેશાનીઓ

સુતા પહેલા ફક્ત 2 ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવાથી પેટ સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે. જો તમારૂ પેટ પણ સવારે સાફ નથી રહેતુ તો આ ઉપાય જરૂર ટ્રાય કરો.

અનિદ્રાની સમસ્યા થશે દૂર

જો તમને રાત્રે સરખી ઉંઘ નથી આવતી તો ગરમ પાણી સાથે ઈલાયચી જરૂર ખાઓ. જેમાં સામેલ એન્ટી-ડિપ્રેસેન્ટ ગુણ તણાવને દૂર કરી ઉંઘ આવવામાં મદદ કરે છે.

પથરીની સમસ્યાઓ કરો દૂર

સુતા પહેલા એક ઈલાયચીને ગરમ પાણીના સાથે ખાવાથી પથરી તૂટીને મૂત્ર માર્ગે બહાર નીકળી જાય છે. સાથે જ છાંતીની પીડા અને ઢીંચણ પીડામાં પણ આરામ મળે છે.

ખીલથી છૂટકારો

ચહેરા પર ખીલને લઇને યુવતીઓ પરેશાન રહે છે જેથી આ ઉપાયને જરૂર અપનાવો. ખીલના સાથે-સાથે ત્વચા સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થાય છે અને ત્વચા સ્વચ્છ રહે છે.

વાળ ઉતરવાનુ ઓછું થવુ

પ્રદૂષણ, તણાવ અને ખરાબ ડાઈટવાળાને કમજોર કરે છે, જેના કારણે તે ખરવા લાગે છે, પરંતુ આ ઉપાય વાળ ખરવાને અટકાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp