કાંડા પર લાઇવ વીજળીનો તાર લગાવીને ચોકીદારે કરી આત્મહત્યા

PC: bioedge.org

21 વર્ષના એક શખ્સે પોતાની વીજળીના ઝાટકા આપીને આત્મહત્યા કરી હોવાની સનસનીખેજ ઘટના દેશની રાજધાની દિલ્હીમાં સામે આવી છે. અતુલ કુમાર નામના યુવકે પોતાના ઘરના વોશરૂમમાં પોતાને વીજળીના જોરદાર ઝાટકા આપીને આત્મહત્યા કરી છે.

પોલીસે આ મામલે કહ્યું છે કે અતુલે પોતાના કાંડા પર લાઇવ વાયર લપેટીને પછી તે વોશરૂમ જતો રહ્યો હતો. પોલીસે આ CRPCની કલમ 174 હેઠલ મામલો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જો કે અતુલના ઘરેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. ઘટના વિશે ત્યારે માહિતી મળી જ્યારે અતુલ નોકરી પર પહોંચ્યો ન હતો. તે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. અતુલ ફરજ પર નહીં પહોંચતા તેનો મિત્ર તેના ઘરે પહોંચ્યો હતો જ્યાં તેને વોશરૂમમાં અતુલની લાશ જોઇ હતી.

પાડોશીએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. ઘટનાસ્થળે પોલીસે પહોંચીને જોયું કે અતુલના કાંડા પર વીજળીનો તાર લપેટેલો હતો અને તારનો એક છેડો લાઇવ વીજળી સાથે જોડાયેલો હતો. તારની સાથે અતુલે પોતાના કાંડાને તાર સાથે જકડી રાખવા માટે ટેપ પણ લગાવી હતી. પોલીસનું માનવું છે કે તાર સોકેટમાં નાખીને તેને સ્વીચ ઓન કરી દેતા કરન્ટ લાગતાં અતુલનું મોત થયું હતું.

અતુલના પરિવારજનોનું કહેવું છે કે તેને હંમેશા એક ફરિયાદ રહેતી હતી કે ગ્રેજ્યુએટ હોવા છતાં તેને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરવી પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp