મોસુલમાં ગુમ થયેલા તમામ 39 ભારતીયોને ISISએ માર્યાઃ સુષમા સ્વરાજ

PC: amarujala.com

સંસદમાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે આજે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, ઈરાકના મોસુલમાં ગુમ થયેલા તમામ 39 ભારતીયોની આતંકી સંગઠન ISISએ હત્યા કરી દીધી હતી. સુષમા સ્વરાજે કહ્યું હતું કે, તમામ મૃત લોકોના DNAની તપાસ કરવામાં આવી હતી, ત્યાર બાદ તમામ મૃતકોની ઓળખ થઈ હતી. આ તમામ મૃતકોને પહાડ ખોદીને કાઢવામાં આવ્યા હતા.

સુષમા સ્વરાજે કહ્યું હતું કે, આ તમામ મૃતકોને અમૃતસર લાવવામાં આવશે. મેં ગત વર્ષે સંસદમાં કહ્યું હતું કે, જ્યાં સુધી મને પાક્કી રીતે કોઈ પ્રમાણ નહીં મળે, ત્યાં સુધી હું ગુમ થયેલા લોકોને મૃત જાહેર નહીં કરું. કાલે અમને ઈરાક સરકાર તરફથી સુચના આપવામાં આવી હતી કે, 38 લોકોના DNA 100% મળી ગયા છે, જ્યારે એક વ્યક્તિનું DNA 70% મળ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મને 40 કિડનેપ થયેલા લોકોમાંથી એક જીવિત બચેલા વ્યક્તિ હરજીતનો ફોન આવ્યો હતો અને બચાવવાની અપીલ કરવામાં આવી હતી. તેણે જે પણ કહાની જણાવી હતી કે, 39 લોકોના માથામાં ગોળી મારવામાં આવી અને તેને પગમાં. તે જંગલમાં ભાગી ગયો, એ બધી વાત ખોટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp