EVM મામલે વિપક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ

PC: livelaw.in

આંધ્ર્ પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુના વડપણ હેઠળ 21 વિપક્ષી પાર્ટીઓએ EVMને લઇને સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી મામલે કોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. કોર્ટે બંનેને 25 માર્ચ સુધી જવાબ આપવા માટે કહ્યું છે. અરજીમાં સુપ્રીમ કોર્ટે માગ કરી છે કે ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવે કે મતગણતરી વખતે કમસે કમ 50 ટકા VVPAT  ને EVM  સાથે સંલગ્ન છે કે નહી તે ચકાસવામાં આવે.

CJI રંજન ગોગોઇના વડપણ હેઠળની બેંચે ચૂંટણી પંચને કહ્યું છે કે આ મામલે કોર્ટને સહયોગ કરવા માટે એક અધિકારી આપવામાં આવે. મામલાની આગામી સુનાવણી 25 માર્ચના રોજ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષી દળો EVM ઘણી વખત સવાલો કરતું આવ્યું છે. તેમની માગ છે કે પરિણામ જાહેર કરતા પહેલા કમસે કમ 50 ટકા VVPAT ને EVM માં પડેલા મતો સાથે સરખાવવામાં આવે જેથી EVM સાથેની છેડછાડને રોકી શકાય. જેના માટે ચંદ્રબાબુ નાયડુ, અખિલેશ યાદવ, કે.સી. વેણુગોપાલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીષચંદ્ર મિશ્રા સહિત વિપક્ષના 21 નેતાઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.

વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચના દિશા-નિર્દેશોને પડકાર આપ્યો છે જેમાં પ્રતિ વિધાનસભા ક્ષેત્રના કોઇ એર પોલિંગ સ્ટેશનના VVPATની ગણતરીને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અરજીમાં કહેવાયું છે કે આ રીતે કુલ EVMના માત્ર 0.44 % પણ ઓછા VVPAT  સંલગ્ન થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp