જય શ્રી રામના નારા ન લગાવવા પર મદ્રેસાના બાળકોને મારવાનો બજરંગ દળ પર આરોપ

PC: ndtvimg.com

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક મદ્રેસાના સગીરોને જય શ્રી રામ માટે નારા ન લગાવતાં માર મારવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘણાં બાળકો ઘાયલ થયા. મદ્રેસાના લોકોએ આક્ષેપ કર્યો છે કે હુમલાખોરો બજરંગ દળના હતા. આ હુમલાખોરોએ ઘણા બાળકોની સાયકલ પણ તોડી નાખી. હાલમાં, આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી રહી છે. પોલીસે ત્રણ ઇજાગ્રસ્ત બાળકો માટે તબીબી સારવાર કરી છે અને ફેસબુક પ્રોફાઇલ દ્વારા આરોપીની શોધ કરી છે. કેટલાક લોકો અટકાયતમાં છે અને તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ, આસામના બારપેટા જિલ્લામાં, ચાર અસામાજિત તત્વોએ ત્રણ મુસ્લિમ યુવાનોને મારપીટ કરી અને તેઓને જય શ્રી રામ કહેવા મજબૂર કર્યા.

યુ.પી.ના કાનપુરમાં પણ આ જ પ્રકારનો કેસ આવ્યો હતો. કાનપુરના બારા વિસ્તારમાં, કેટલાક લોકો દ્વારા એક મુસ્લિમ કિશોરને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. કિશોરનો આરોપ છે કે તેને ટોપી પહેરી રાખી હતી અને લોકો તેને જય શ્રી રામના નારાં બોલવા માટે કહી રહ્યા હતા.

કિદવાઈ નગરની મસ્જિદમાંથી નમાઝ પઢીને બહાર આવેલા બારામાં રહેનાર તાજ (16) ઘરે પરક ફરી રહ્યો હતો, ત્યારબાદ ત્રણ ચાર અજ્ઞાત બાઇક ચાલકોએ તેને અટકાવ્યો અને તેની ટોપી પહેરવાનો વિરોધ કર્યો. બારા પોલીસ ઇન્ચાર્જ સતીષકુમાર સિંહના જણાવ્યા અનુસાર બાઇકચાલક યુવાએ તાજને 'જય શ્રી રામ' કહેવા માટે કહ્યું. જ્યારે તેણે આ કહેવાનો ઇનકાર કર્યો ત્યારે તેને મારવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp