અહીં થાય છે નવરાત્રિએ શિવ પાર્વતીના ઈશ્વર વિવાહ રાસ

PC: khabarchhe.com

માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે દાયકાઓથી નવરાત્રી મહોત્સવ દરમિયાન ઈશ્વર વિવાહ રાસ લેવાની પરંપરા છે, તો તેની બાજુના ગામમાં સમાજ સુધારણા માટે પણ નવરાત્રી વખતે કાર્યક્રમ રાખવામાં આવે છે. આ લગ્ન શિવ અને પાર્વતી માટે થાય છે. એક કાવ્યને સ્વર આપીને તેને રજૂ કરવામાં આવે છે.

અનોખા એવા ઈશ્વર વિવાહ રાસ સાડા ત્રણ કલાક સુધી ચાલે છે. એક તરફ ઈશ્વર વિવાહ ગાનને વાંજીત્રોના સુરતાલ સાથે ગાયકો અને ખેલૈયાઓ ગીતને ઝીલતા હોય છે. લયબદ્ધ સુરતાલ સાથે લેવાતા આ રાસમાં ગ્રામજનો ગોળ રાસ લે છે. વર્ષો પૂર્વેથી ચાર દિવસ ઈશ્વર વિવાહ મહાદેવજીના સગપણનું માગું લઈ દક્ષ પ્રજાપતિના દરબારમાં જતાં નારદજી, ભવાની, પાર્વજીના મહાદેવજી સાથેની સગાઈ હોય છે. બાદ શિવ વિવાહનું આયોજન તેમાં આવે છે. લગ્નનું નિમંત્રણ આપી લગ્નની તૈયારીઓ, જાનૈયાઓ સહિત વિવિધ મહત્ત્વ સાથે મહાદેવજીના લગ્ન થાય છે.

કન્યા વિદાયથી લઈ શિવ પાર્વતીના લગ્ન પ્રસંગને શબ્દ દેહ આપનાર પંડીત દેવીદાનજી રચીત ઈશ્વર વિવાહ માહત્મય મહા કાવ્યને રાજાશાહી સમયથી ઉજવતા આ ઈશ્વર વિવાહ લોકો માટે મહત્ત્વ ધરાવે છે. નાના એવા દહીસરા ગામનાં મોમાઈ ગરબી મંડલ દવારા મોમાઈ માતાજી, રાધાક્રિષ્ના મંદીર પાસે પરંપરાગત રીતે પ્રતિવર્ષ ભકિત અને શકિતનાં મહાપર્વને ઈશ્વર વિવાહ મોડી રાત્રી સુધી ચાલે છે. લગ્ન માણવા માટે મોરબી, માલીયા સહિત બહારના લોકો અહીં મોટી સંખ્યામાં ઈશ્વરવિવાહ રાસોત્સવમાં જેાડાય છે. મોરબી જિલ્લામા નાની વાવડી રોડ પર આવેલી સરદાર નગર સોસાયટી-3મા નવરાત્રીમાં છઠ્ઠા નોરતે મોરબીના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર કુલદીપભાઈ જેઠલોજાએ લોકોને સમાજિક પ્રેરણા આપીને સમાજ સુધારવા માટે પ્રવચનો કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp