જાતિની માન્યતા માટે ભટકી રહેલાં ધારાસભ્ય, જજ સામે પડકાર

PC: dnaindia.com

મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું આદિવાસી તરીકેનું જાતિ પ્રમાણપત્ર રદ્દ કરવાના સિંગલ જજના નિર્ણયને ખંડપીઠ સમક્ષ 14 ઓગસ્ટ 2018ના રોજ પડકાર્યો છે. આદિજાતિ વિકાસ કમિશનરે ખાંટનું શિડ્યૂલ ટ્રાઇબનું પ્રમાણપત્ર ખોટું હોવાથી રદ્દ કર્યું હતું. કમિશનરના નિર્ણયને ખાંટે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સિંગલ જજે પણ વિકાસ કમિશનરનો નિર્ણય યોગ્ય ઠેરવીને જાતિનું પ્રમાણપત્ર રદ્દ કર્યું હતું.

ભૂપેન્દ્રસિંહ ખાંટે કહ્યું છે કે તેમની સામે રાજકીય પૂર્વગ્રહ રાખીને પ્રમાણપત્ર રદ્દ કરાયું છે. તેથી સિંગલ જજે આપેલો ચુકાદો અન્યાયી, ગેરવાજબી, મનસ્વી રીતે આપવામાં આવ્યો છે. જેને લીધે તેમની સાથે ન્યાય થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતના મહત્ત્વના નિર્દેશોને ધ્યાને લીધા નથી. ટ્રાઇબલ અને નોન-ટ્રાઇબલ વચ્ચેના આંતરજ્ઞાતી લગ્નોને સમજવામાં ભૂલ કરી છે. તેમનો ઉછેર માત્ર માતા સાથે નથી થયો થયો પરતું તેઓ પણ ભીલ જાતિની જેમ અલગ-અલગ વિસ્તારોમાં ભણ્યા છે. સિંગલ જજે સ્ક્રૂટિની કમિટી દ્વારા અપાયેલા નિર્ણયને ગ્રાહ્ય રાખતી વખતે ભૂલ કરી છે.

ભૂપેન્દ્રસિંહ ખાટ આદિવાસી હોવાના ખોટા જ્ઞાતિના પ્રમાણપત્રને આધારે વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી માટેની અનામત બેઠક પર ચૂંટણી લડયા હોવાની ફરિયાદ થઈ હતી. વળી વર્ષ 2011માં તેમની સામે અરજી થઈ હતી, જેમાં ખાંટના પિતા ક્ષત્રિય ખાંટ જ્ઞાતિના હોવાથી અને માતા આદિવાસી હોવા છતાં ઓબીસીમાં સમાવિષ્ટ છે. તેથી તેમના દીકરાને આદિવાસી તરીકેનું પ્રમાણપત્ર ખોટું મળ્યું છે.

23 જાન્યુઆરી 2018ના રોજ પંચમહાલમાં એસટી અનામત મોરવાહડફ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ કમિશનરે રદ્દ કરતાં રાજકીય વિવાદ સર્જાયો હતો. ડિસેમ્બરમાં ચૂંટણી ફોર્મ ભરતી વખતે ભાજપના ઉમેદવાર વિક્રમસિંહ ડિંડોર દ્વારા ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી ન હોવાની ફરિયાદ કરી હતી. આદિજાતિ વિકાસ કમિશનર આર. જે. માંકડિયાના અધ્યક્ષપદે કમિટીએ તપાસને અંતે ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી ન હોવાનું જાહેર કર્યું હતું.

માતા MLA બન્યા અને તુરંત મોત

21 ડીસેમ્બર 2012ના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ભૂપેન્દ્ર ખાંટના માતાનું મોત થયું હતું. 13મી વિધાનસભાની વિધિસર રચના થાય તે પહેલા જ તે ખંડિત થઇ ગઈ હતી. આમ ગુજરાત વિધાનસભા માટે 182નો આંકડો શુકનિયાળ નથી તે ફરી એકવાર પૂરવાર થયું હતું. મોરવાહડફ બેઠક પરથી જીતેલા કોંગ્રેસના મહિલા ઉમેદવાર સવિતાબહેન ખાંટનું બ્રેઈન હેમરેજથી નિધન થયું છે. 20 ડિસેમ્બરનાં રોજ મતગણતરીનાં દિવસે મોરવાહડફ બેઠકની જ્યાં મતગણતરી ચાલી રહી હતી તે સ્થળે કોંગ્રેસના ઉમેદવાર ચક્કર આવતાં પડી ગયા હતાં અને તેમને તરત જ હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેઓ વિજેતા જાહેર થયા હતાં. પરંતુ તેઓ કોમામાં સરી પડ્યા હતા.

ભાજપ કરતાં કોંગ્રેસને બે ગણી બેઠક

19 ડિસેમ્બર 2017ના રોજ આદિવાસી પૂર્વ પટ્ટીમાં 27 બેઠકમાંથી ભાજપને 8 અને કોંગ્રેસને 16 બેઠક મળી હતી. બે બેઠક ભારતીય ટ્રાઇબલ પાર્ટીને અને એક બેઠક અપક્ષને ફાળે ગઇ હતી. આદિવાસી વનબંધુ યોજનાઓ પાછળ કરોડોની યોજનાઓ બનાવી હતી. છતાં ભાજપની શરમજનક હાર થઈ હતી. સુરત જિલ્લાની ૩ આદિવાસી બેઠકમાંથી 2 ભાજપને ફાળે ગઇ હતી.

સરકારે કેવિએટ કરી

22 ફેબ્રુઆરી 2018ના દિવસે રાજ્ય સરકાર તરફથી પણ હાઇકોર્ટમાં કેવીયેટ દાખલ કરી દેવાઇ હતી કે, સરકારને સાંભળ્યા વિના હાઇકોર્ટ આ કેસમાં કોઇ હુકમ ના કરે. 24 જાન્યુઆરી 2018માં વડી અદાલતે આદિજાતિ વિકાસ બોર્ડના આદેશને રદ્દ કર્યો હતો. ભૂપેન્દ્રસિંહ ખાંટને આદેશ કર્યો હતો કે, 7 ફેબ્રુઆરી સુધી તે આદિજાતિ વિકાસ બોર્ડ સમક્ષ જાતિની પ્રમાણપત્ર અને તેના પુરાવા રજૂ કરે. આદિજાતિ વિકાસ બોર્ડે આદેશ કર્યો હતો કે, મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટ પાસે રહેલું અનુસુચિત જનજાતિનુ પ્રમાણપત્ર ખોટું છે. આથી તેઓ ધારાસભ્ય પદે ગેરલાયક ઠેરવવાને યોગ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp