ગુજરાત ચૂંટણીના રિઝલ્ટમાં ખબર પડી જશે લોકો કોની સાથે છેઃ જેટલી
યુનિયન નાણામંત્રી અરુણ જેટલીએ શનિવારે કહ્યું હતું કે, દુનિયાના બધા દેશોએ ઢાંચાગત સુધારાઓ જેવા કે, નોટબંધી અને GST જેવા સુધારા માટે ભારતની પ્રશંસા કરી છે. આ સિવાય તેમણે ગુજરાતમાં કોંગ્રેસના વધતા પ્રભુત્વ પર પણ જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ આવી જવા દો, ખબર પડી જ જશે કે લોકો કોની સાથે છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના નાણામંત્રીઓ દ્વારા GSTને મુદ્દો બનાવીને વિરોધ થઈ રહ્યો છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં જેવી BJPને જીત મળી છે, ગુજરાતમાં પણ તેવી જ જીત BJPને મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.