દિલ્હીવાળા આપે તે લઈ લેજો પણ પરિવર્તન માટે મત કોંગ્રેસને આપજોઃ કન્હૈયા કુમાર

PC: khabarchhe.com

દિલ્હીવાળા આપે તે લઈ લેજો પણ પરિવર્તન માટે મત કોંગ્રેસને આપજો ગારિયાધારમાં કોંગ્રેસના કન્હૈયા કુમારની જનસભા યોજાઈ હતી, જેમાં તેણે આપ-ભાજપ સામે આકરા શબ્દોમા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યુ કે, દિલ્હી વાળા (આપ) જે આપે તે લઈ લેજો પણ પરિવર્તન માટે કોંગ્રેસને આપજો.

ગારીયાધાર વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર દિવ્યેશ ચાવડાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના સ્ટાર પ્રચારક, યુવા નેતા કન્હૈયા કુમાર છવાયો હતો. જનસભા સંબોધતા કહ્યું કે, આ ક્ષેત્રમાં સાંકડા માર્ગો બેરોજગારી અને ખેડૂતોના અનેક પ્રશ્નો છે. જેના રેડ લાઈટ વિસ્તારમાં વિકાસ સૂતો છે. દિવસે ગામડા ખાલી થઈ રહ્યા છે. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કોંગ્રેસ લાવી શકે છે. માટે પરિવર્તનની જરૂર છે.

રોટલીનું ઉદાહરણ આપતા તેણે કહ્યું હતું કે, 30 સેકન્ડ માટે રોટલી ન ફેરવી હોય તો બળી જાય છે. ગારીયાધારમાં પ્રજાએ 30 વર્ષ સુધી એકનો એક ધારાસભ્ય રાખ્યો છે. ફેરવવામાં નહીં આવે તો બળી જશે. ગારીયાધારમાં ચૂક કર્યા વગર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનો છે. સભામાં કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ વશરામ વેગડ, બીએમ માંગુકિયા, મેહુલ લવતુકા, દિલીપસિંહ ગોહિલ અને રાજસ્થાનના મિનિસ્ટર વિશ્નોઈ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp