VIDEO: ભાજપની મહિલા ધારાસભ્યનું માયાવતી પર વિવાદાસ્પદ નિવેદન, બસપા ભડક્યું
ભાજપના મુગલસરાયના ધારાસભ્ય સાધના સિંહે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે શનિવારે ચંદૌલીમાં આયોજિત એક જનસભાને સંબોધતા માયાવતીની સરખામણી કિન્નર સાથે કરી હતી. માયાવતીએ લખનઉ ગેસ્ટહાઉસમાં થયેલું તેમનું અપમાન ભૂલીને સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરી લીધુ છે. તેમના આ નિવેદન અંગે રાષ્ટ્રીય મહિલા આયોગે તેમની પાસે જવાબ માંગ્યો છે.
સાધના સિંહે જણાવ્યું હતું કે, માયાવતી નારી જાત પર કલંક સમાન છે. માયાવતીમાં પોતાનું સ્વમાન જેવું કશું જ બચ્યું નથી. દ્રોપદીનું વસ્ત્રાહરણ થયું, ત્યારે તેણીએ દુશાસન સાથે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે માયાવતીએ સત્તા મેળવવા માટે પોતાનું તમામ સન્માન વેચી દીધું છે.
#WATCH:BJP MLA Sadhna Singh says about BSP chief Mayawati, "jis din mahila ka blouse, petticoat, saari phat jaaye, wo mahila na satta ke liye aage aati hai. Usko pure desh ki mahila kalankit maanti hai.Wo to kinnar se bhi jyada badtar hai, kyunki wo to na nar hai, na mahila hai." pic.twitter.com/w3Cdizd8eR
— ANI UP (@ANINewsUP) January 19, 2019
જો કે સાધના સિંહના નિવેદન પર પલટવાર કરતા બસપા નેતા સતીશચંન્દ્રએ જણાવ્યું કે, સપા-બસપાના સંગઠન બાદ ભાજપના નેતાઓનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. આથી તેમને આગ્રા કે બરેલીના મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ.
કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ જણાવ્યું કે, અમારી પાર્ટી ભાજપ સાથે છે, પરંતુ અમે માયાવતીના વિરુદ્ધ કરવામાં આવેલા આપત્તિજનક નિવેદન સાથે સહમત નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp