જોશી-અડવાણીની ટિકિટ કપાવા પર કેજરીવાલે જાણો શું કહ્યું
ભારતીય જનતા પાર્ટીએ આ લોકસભા ચૂંટણીમાં ખૂબ ધ્યાનથી ટિકિટ આપી રહી છે, જેને કારણે ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ નારાજ થઇ ગયા છે. જેમાં લાલકૃષ્ણ અડવાણી બાદ હવે મુરલી મનોહર જોશીનો પણ સમાવેશ થાય છે. મુરલી મનોહર જોશીનું પણ લોકસભા ચૂંટણીમાંથી પત્તુ કાપી નાખવામાં આવ્યું છે, આને લઇને વિપક્ષને મજા પડી ગઇ છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી કહી દીધું કે આ હિન્દૂ સંસ્કૃતિ વિરુદ્ધ છે.
मोदी जी ने जिस तरह अपने बुज़ुर्गों - आडवाणी जी और मुरली मनोहर जी- का अपमान किया है, ये हिंदू संस्कृति के बिलकुल ख़िलाफ़ है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 26, 2019
हिंदू धर्म में हमें अपने बुज़ुर्गों का सम्मान करना सिखाया गया है। https://t.co/glqaGLea09
CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મોદીજીએ જે રીતે પોતાના વડીલો-અડવાણીજી અને મુરલી મનોહરજીનું અપમાન કર્યું છે, તે હિન્દૂ સંસ્કૃતિની તદ્દન વિરુદ્ધ છે. હિન્દૂ ધર્મમાં આપણને આપણા વડીલોનું સન્માન કરવાનું શીખવવામાં આવ્યું છે.
जिन्होंने घर बनाया उन्ही बुजर्गो को घर से निकाल दिया? जो अपने बुजर्गो का नही हो सकता वो किसका होगा? क्या यही भारतीय सभ्यता है? हिन्दू संस्क्रति तो ये नही कहती कि बुजर्गों को बेज्जत करो
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 26, 2019
देश के लोगो मे चर्चा है कि मोदी जी आडवाणी जोशी और सुषमा की बेज्जती क्यो कर रहे है? https://t.co/bcU1uZbK69
તેમણે બીજી ટ્વીટ કરીને કહ્યું હતું કે, જેમણે ઘર બનાવ્યું તે જ વડીલોને ઘરથી કાઢી નાખ્યા? જે પોતાના વડીલોનું ન થઇ શકે તે કોનું થશે? શું આ જ ભારતીય સભ્યતા છે? હિન્દૂ સંસ્કૃતિ તો આ નથી કહેતી કે વડીલોનું અપમાન કરો. દેશના લોકોમાં ચર્ચા છે કે, મોદીજી અડવાણી, જોશી અને સુષમા સ્વરાજનું અપમાન કેમ કરી રહ્યા છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp