બાબા રામદેવના સૂર બદલાયા, જાણો શું કહ્યું રાહુલ ગાંધી વિશે?

PC: dnaindia.com

ભાજપના શુભચિંતક યોગગુરુ બાબા રામદેવના સૂર કંઈક બદલાયેલા દેખાઈ રહ્યા છે. બાબા રામદેવએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે કંઈક એવું કહ્યું જેનાથી ભાજપ પરેશાન થઈ શકે છે. બાબા રામદેવએ કહ્યું કે મારા અને રાહુલ ગાંધી વચ્ચે મિત્રતાના સંબંધ છે. વાસ્તવમાં યોગગુરુ બાબા રામદેવ 21 જૂને ઉજવવામાં આવનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે આ દિવસે આખો દેશ વડાપ્રધાન સાથે યોગ કરે છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી પણ કરે છે. બાબા રામદેવે કહ્યું કે યોગ અમારા પૂર્વજોની ભેટ છે. તેનો કોઈ અલગ ધર્મ કે જાતિ નથી. તે બધા માટે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014મા લોકસભાની ચૂંટણી પહેલાં ઘણી વખત બાબા રામદેવ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર ટીપ્પણી કરી ચૂક્યા છે. તેમણે ક્યારેય ગાંધી પરિવારની પ્રશંસા નથી કરી પરંતુ આ વખતે યોગગુરુ બાબા રામદેવનું આ રીતે રાહુલ ગાંધીની વિશે વાત કરવું ભાજપ ને પસંદ ન આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp